રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં સંસદની સંયુક્ત બેઠકને સંબોધનની સાથે વર્ષ ૨૦૧૯નાં સંસદનાં બજેટ સત્રનો પ્રારંભ થયો હતો. સત્રના પ્રારંભ પહેલાં વડા પ્રધાન મોદીએ તમામ સાંસદોને બજેટ સત્રમાં રચનાત્મક ચર્ચા કરવાની અપીલ સાથે સ્પષ્ટ કર્યું હતું કે, તેમની સરકાર વોટ ઓન એકાઉન્ટ નહીં પરંતુ વચગાળાનું બજેટ રજૂ કરવા જઈ રહી છે. પહેલી ફેબ્રુઆરી શુક્રવારના રોજ સવારે ૧૧ કલાકે કાર્યકારી નાણામંત્રી પીયૂષ ગોયલ મોદી સરકારનું વચગાળાનું બજેટ રજૂ કરશે. આ વચગાળાનું બજેટ હોવાથી સરકાર નાણાકીય વર્ષના પહેલા ચાર મહિના માટે ખર્ચની મંજૂરી માગશે. વચગાળાનાં બજેટ સમયે પરંપરા અનુસાર સરકાર આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે નહીં. લોકસભાની ચૂંટણી પછી નવી સરકારની રચના બાદ જુલાઈ મહિનામાં પૂર્ણ બજેટ અને આર્થિક સર્વેક્ષણ રજૂ કરાશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં સંસદની સંયુક્ત બેઠકને સંબોધનની સાથે વર્ષ ૨૦૧૯નાં સંસદનાં બજેટ સત્રનો પ્રારંભ થયો હતો. સત્રના પ્રારંભ પહેલાં વડા પ્રધાન મોદીએ તમામ સાંસદોને બજેટ સત્રમાં રચનાત્મક ચર્ચા કરવાની અપીલ સાથે સ્પષ્ટ કર્યું હતું કે, તેમની સરકાર વોટ ઓન એકાઉન્ટ નહીં પરંતુ વચગાળાનું બજેટ રજૂ કરવા જઈ રહી છે. પહેલી ફેબ્રુઆરી શુક્રવારના રોજ સવારે ૧૧ કલાકે કાર્યકારી નાણામંત્રી પીયૂષ ગોયલ મોદી સરકારનું વચગાળાનું બજેટ રજૂ કરશે. આ વચગાળાનું બજેટ હોવાથી સરકાર નાણાકીય વર્ષના પહેલા ચાર મહિના માટે ખર્ચની મંજૂરી માગશે. વચગાળાનાં બજેટ સમયે પરંપરા અનુસાર સરકાર આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે નહીં. લોકસભાની ચૂંટણી પછી નવી સરકારની રચના બાદ જુલાઈ મહિનામાં પૂર્ણ બજેટ અને આર્થિક સર્વેક્ષણ રજૂ કરાશે.