-
જવાહરલાલ નેહરૂ વડાપ્રધાન બન્યા, ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા અને નરેન્દ્ર મોદી પણ વડાપ્રધાન બન્યા...આ બધામાં વડાપ્રધાન બનવા માટેના એક ગુણ એકસમાન હતા અને તે છે કે તેઓ નિયમિત યોગ કરતાં હતાં...! આ બાબતની સામ્યતાનું રહસ્ય જાહેર કર્યું છે યોગાચાર્ય બાબા રામદેવે. તેમણે છત્તીસગઢના રાયપુરમાં આજે કહ્યું કે રોજ નિયમિત યોગ કરવાથી તમે નિરોગી અને તંદુરસ્તની સાથે તમારામાં રાજયોગ પણ આવે છે જેના થકી તમે વડાપ્રધાન પણ બની શકો છો..! એ માટે તેમણે નેહરૂ, ઇન્દિરા અને મોદીના નામો આપીને કહ્યું તે આ નેતાઓ નિયમિત યોગ કરે છે એટલે યોગના માધ્યમથી રાજયોગ કેળવીને વડાપ્રધાનપદની ખુરશી મેળવી શક્યા હતા. સૂત્રો કહે છે કે સવાલ એ છે કે બાબા રામદેવ તો વર્ષોથી નિયમિત અને આ નેતાઓ કરતાં વધારે યોગ કરે છે તો તેઓ અત્યારસુધી વડાપ્રધાન કેમ ના બની શક્યા..? બાબા વળી એમ પણ ઇશારો કરે છે રાહુલ ગાંધી પણ નિયમિત યોગ કરે છે એટલે....રાહુલમાં પણ રાજયોગ છે અને તેઓ પણ...!
-
જવાહરલાલ નેહરૂ વડાપ્રધાન બન્યા, ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા અને નરેન્દ્ર મોદી પણ વડાપ્રધાન બન્યા...આ બધામાં વડાપ્રધાન બનવા માટેના એક ગુણ એકસમાન હતા અને તે છે કે તેઓ નિયમિત યોગ કરતાં હતાં...! આ બાબતની સામ્યતાનું રહસ્ય જાહેર કર્યું છે યોગાચાર્ય બાબા રામદેવે. તેમણે છત્તીસગઢના રાયપુરમાં આજે કહ્યું કે રોજ નિયમિત યોગ કરવાથી તમે નિરોગી અને તંદુરસ્તની સાથે તમારામાં રાજયોગ પણ આવે છે જેના થકી તમે વડાપ્રધાન પણ બની શકો છો..! એ માટે તેમણે નેહરૂ, ઇન્દિરા અને મોદીના નામો આપીને કહ્યું તે આ નેતાઓ નિયમિત યોગ કરે છે એટલે યોગના માધ્યમથી રાજયોગ કેળવીને વડાપ્રધાનપદની ખુરશી મેળવી શક્યા હતા. સૂત્રો કહે છે કે સવાલ એ છે કે બાબા રામદેવ તો વર્ષોથી નિયમિત અને આ નેતાઓ કરતાં વધારે યોગ કરે છે તો તેઓ અત્યારસુધી વડાપ્રધાન કેમ ના બની શક્યા..? બાબા વળી એમ પણ ઇશારો કરે છે રાહુલ ગાંધી પણ નિયમિત યોગ કરે છે એટલે....રાહુલમાં પણ રાજયોગ છે અને તેઓ પણ...!