ગાંધીજીએ જ્યારે નમક સત્યાગ્રહનો વિચાર મૂક્યો ત્યારે તેમનાં કેટલાક સાથીઓ એ તેનો વિરોધ કર્યો હતો. પણ ગાંધી ગાંધી હતા. તેઓ નમકનું મૂલ્ય જાણતા હતા એટલે તેમનાં નમક સત્યાગ્રહનાં વિચાર પર અડગ રહ્યા. જો ગાંધીજી કેટલાક નકારાત્મક માનસિક્તા ધરાવતા સાથીઓની વાતમાં આવીને આ આંદોલન પડતું મૂક્તા તો ઇતિહાસ જુદો જ હોત. આજે પણ આવી નકારાત્મક જુદો જ હોત. આજે પણ આવી નકારાત્મક વિચારસરણી ધરાવતા લોકો છે. જેમને દેશનાં વિકાસમાં રસ નથી.
ઉપરોક્ત શબ્દો આજે સાંજે દાંડી ખાતે રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકને રાષ્ટ્રને અર્પણ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉચ્ચાર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બાપૂનાં નામે રાજનીતિ કરનારાઓ જો સ્વચ્છતાનાં આદર્શને અપનાવત તો તે ગાંધીજીને સાચી શ્રધ્ધાંજલિ હોત. સકારાત્મક્તાથી મોટા મોટા સંકલ્પો સાકાર થાય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાંડી સમારક વિશે જણાવ્યું હતું કે આજે ગાંધી નિર્વાણ દિને આપણે સૌ એક મહત્વની ઘટનાના સાક્ષી બન્યા છીએ. ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે બાપૂની વિરાસત દેશને અર્પણ કરીશું તોજ નવી પેઢી તેમનાં આદર્શોથી પ્રેરિત બનતી રહેશે. આ સ્મારકનાં નિર્માણ સાથે સંકળાયેલા સૌ કોઇને અભિનંદન.
ગાંધીજીએ જ્યારે નમક સત્યાગ્રહનો વિચાર મૂક્યો ત્યારે તેમનાં કેટલાક સાથીઓ એ તેનો વિરોધ કર્યો હતો. પણ ગાંધી ગાંધી હતા. તેઓ નમકનું મૂલ્ય જાણતા હતા એટલે તેમનાં નમક સત્યાગ્રહનાં વિચાર પર અડગ રહ્યા. જો ગાંધીજી કેટલાક નકારાત્મક માનસિક્તા ધરાવતા સાથીઓની વાતમાં આવીને આ આંદોલન પડતું મૂક્તા તો ઇતિહાસ જુદો જ હોત. આજે પણ આવી નકારાત્મક જુદો જ હોત. આજે પણ આવી નકારાત્મક વિચારસરણી ધરાવતા લોકો છે. જેમને દેશનાં વિકાસમાં રસ નથી.
ઉપરોક્ત શબ્દો આજે સાંજે દાંડી ખાતે રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકને રાષ્ટ્રને અર્પણ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉચ્ચાર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બાપૂનાં નામે રાજનીતિ કરનારાઓ જો સ્વચ્છતાનાં આદર્શને અપનાવત તો તે ગાંધીજીને સાચી શ્રધ્ધાંજલિ હોત. સકારાત્મક્તાથી મોટા મોટા સંકલ્પો સાકાર થાય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાંડી સમારક વિશે જણાવ્યું હતું કે આજે ગાંધી નિર્વાણ દિને આપણે સૌ એક મહત્વની ઘટનાના સાક્ષી બન્યા છીએ. ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે બાપૂની વિરાસત દેશને અર્પણ કરીશું તોજ નવી પેઢી તેમનાં આદર્શોથી પ્રેરિત બનતી રહેશે. આ સ્મારકનાં નિર્માણ સાથે સંકળાયેલા સૌ કોઇને અભિનંદન.