અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો છે. મેળાના પ્રથમ દિવસે જ 3 લાખ 70 હજાર ભક્તોએ માતાજીના ચરણે શીશ ઝુકાવ્યું છે. પ્રથમ દિવસનો અદ્ભુત આકાશી નજારો સામે આવ્યો. રંગબેરંબ લાઈટોથી શણગારેલા મંદિરના મનમોહલ દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે. તો પ્રથમ દિવસે 3.35 લાખ પ્રસાદના પેકેટનું વેચાણ નોંધાયું છે. સાથે 45 હજાર શ્રદ્ધાળુઓએ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો. તો 22 હજાર જેટલા ભક્તોએ ST બસની સુવિધાનો લાભ લીધો છે. સ્વચ્છતા એ જ સેવાની થીમ ઉપર યોજાઈ રહેલા આ મેળામાં સફાઈ માટે 1500 જેટલા સફાઈ કામદારો મુકવામાં આવ્યા છે.
અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો છે. મેળાના પ્રથમ દિવસે જ 3 લાખ 70 હજાર ભક્તોએ માતાજીના ચરણે શીશ ઝુકાવ્યું છે. પ્રથમ દિવસનો અદ્ભુત આકાશી નજારો સામે આવ્યો. રંગબેરંબ લાઈટોથી શણગારેલા મંદિરના મનમોહલ દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે. તો પ્રથમ દિવસે 3.35 લાખ પ્રસાદના પેકેટનું વેચાણ નોંધાયું છે. સાથે 45 હજાર શ્રદ્ધાળુઓએ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો. તો 22 હજાર જેટલા ભક્તોએ ST બસની સુવિધાનો લાભ લીધો છે. સ્વચ્છતા એ જ સેવાની થીમ ઉપર યોજાઈ રહેલા આ મેળામાં સફાઈ માટે 1500 જેટલા સફાઈ કામદારો મુકવામાં આવ્યા છે.