સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સાત દિવસની રાષ્ટ્રીય કાર્યકારીણીનો પ્રારંભ થયો હતો. જેમાં દેશભરમાંથી પ્રાંત પ્રચારકો મોટી સંખ્યામાં ભાગ લેવા ઉમટયા છે. આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનભાગવતજીએ સોમનાથ મહાદેવના મંદિરે ધ્વજારોહણ કરી પૂજાવિધી બાદ શિશ નમાવ્યું હતું. ત્યારબાદ સદભાવના બેઠકનો પ્રારંભ થયો હતો.જેમાં આર.એસ.એસ.ના સરકાર્યવાહક ભૈયાજી જોષીએ હિન્દુ સમાજ અનેક જાતિઓમાં વહેંચાયેલો હોવાનું જણાવી આ સમાજને એક થવાનું આહવાન કર્યું હતું.
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સાત દિવસની રાષ્ટ્રીય કાર્યકારીણીનો પ્રારંભ થયો હતો. જેમાં દેશભરમાંથી પ્રાંત પ્રચારકો મોટી સંખ્યામાં ભાગ લેવા ઉમટયા છે. આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનભાગવતજીએ સોમનાથ મહાદેવના મંદિરે ધ્વજારોહણ કરી પૂજાવિધી બાદ શિશ નમાવ્યું હતું. ત્યારબાદ સદભાવના બેઠકનો પ્રારંભ થયો હતો.જેમાં આર.એસ.એસ.ના સરકાર્યવાહક ભૈયાજી જોષીએ હિન્દુ સમાજ અનેક જાતિઓમાં વહેંચાયેલો હોવાનું જણાવી આ સમાજને એક થવાનું આહવાન કર્યું હતું.