મહારાષ્ટ્રનાં ભીમા કોરેગાંવ ખાતે બ્રિટિશ યુગનાં સંઘર્ષની ૨૦૧મી વરસીએ જયસ્તંભ ખાતે સેંકડો લોકોની માનવમેદની ઊમટી હતી અને જયસ્તંભ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગયા વર્ષે આ જ પ્રસંગે હિંસક ઘટનાઓ બની હતી આથી હિંસક ઘટનાઓ રોકવા સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આસપાસનાં વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરાઈ હતી. આ પ્રસંગે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનાં પૌત્ર પ્રકાશ આંબેડકર સહિત અનેક દલિત નેતાઓએ પુષ્પચક્ર અર્પણ કર્યા હતા.
મહારાષ્ટ્રનાં ભીમા કોરેગાંવ ખાતે બ્રિટિશ યુગનાં સંઘર્ષની ૨૦૧મી વરસીએ જયસ્તંભ ખાતે સેંકડો લોકોની માનવમેદની ઊમટી હતી અને જયસ્તંભ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગયા વર્ષે આ જ પ્રસંગે હિંસક ઘટનાઓ બની હતી આથી હિંસક ઘટનાઓ રોકવા સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આસપાસનાં વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરાઈ હતી. આ પ્રસંગે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનાં પૌત્ર પ્રકાશ આંબેડકર સહિત અનેક દલિત નેતાઓએ પુષ્પચક્ર અર્પણ કર્યા હતા.