જમ્મુ અને કાશ્મીર તથા લદાખમાં હવે કોઈ પણ પોતાની જમીન ખરીદી શકશે. ગૃહ મંત્રાલયે નવા જમીન કાયદાનું નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. જો કે હજુ પણ ખેતીની જમીન અંગે રોક લાગુ રહેશે. જેનો અર્થ એ થયો કે ખેતીની જમીન ફક્ત રાજ્યના લોકો માટે જ રહેશે.
જમ્મુ અને કાસ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાના જણાવ્યાં મુજબ અમે ઈચ્છીએ છીએ કે બહારની ઈન્ડ્રસ્ટ્રી જમ્મુ કાશ્મીરમાં આવે, આથી ઈન્ડસ્ટ્રીયલ લેન્ડમાં રોકાણની જરૂર છે. પરંતુ ખેતીની જમીન ફક્ત રાજ્યના લોકો માટે જ રહેશે.
અત્રે જણાવવાનું કે આ અગાઉ જમ્મુ અને કાશ્મીરમાં ફક્ત ત્યાંના રહીશો જ જમીનની લે વેચ કરી શકતા હતા. પરંતુ હવે બહારથી આવનારા લોકો પણ ત્યાં જમીન ખરીદીને પોતાનું કામ શરૂ કરી શકે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ નિર્ણય જમ્મુ અને કાશમીર પુર્નગઠન અધિનિયમ હેઠળ લીધો છે.
જમ્મુ અને કાશ્મીર તથા લદાખમાં હવે કોઈ પણ પોતાની જમીન ખરીદી શકશે. ગૃહ મંત્રાલયે નવા જમીન કાયદાનું નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. જો કે હજુ પણ ખેતીની જમીન અંગે રોક લાગુ રહેશે. જેનો અર્થ એ થયો કે ખેતીની જમીન ફક્ત રાજ્યના લોકો માટે જ રહેશે.
જમ્મુ અને કાસ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાના જણાવ્યાં મુજબ અમે ઈચ્છીએ છીએ કે બહારની ઈન્ડ્રસ્ટ્રી જમ્મુ કાશ્મીરમાં આવે, આથી ઈન્ડસ્ટ્રીયલ લેન્ડમાં રોકાણની જરૂર છે. પરંતુ ખેતીની જમીન ફક્ત રાજ્યના લોકો માટે જ રહેશે.
અત્રે જણાવવાનું કે આ અગાઉ જમ્મુ અને કાશ્મીરમાં ફક્ત ત્યાંના રહીશો જ જમીનની લે વેચ કરી શકતા હતા. પરંતુ હવે બહારથી આવનારા લોકો પણ ત્યાં જમીન ખરીદીને પોતાનું કામ શરૂ કરી શકે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ નિર્ણય જમ્મુ અને કાશમીર પુર્નગઠન અધિનિયમ હેઠળ લીધો છે.