-
ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રેસ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી આકરી ટીકાને અનુમોદન આપીને જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીએ નહેરૂ ગાંધી પરીવારે સત્તા અને સંગઠન દાયકાઓ સુધી ઘરમાં જ રાખ્યું છે. તેમ કહીને સત્યને ઉજાગર કર્યું છે. કોંગ્રેસની માત્ર નેહરુ-ગાંધી પરીવારની વિચારધારા છે. જયારે ભાજપની વિચારધારા રાષ્ટ્ર એ જ પરીવાર અને વસુદૈવ કુટુમ્બકમની ભાવના સાથેની વિચારધારા છે. કોંગ્રેસના નેહરુ-ગાંધી પરિવારે ૩૮ વર્ષ પ્રધાનમંત્રી તરીકે રાજ કર્યું છે અને મનમોહનસિંહના બેકસીટ ડ્રાઈવીગના ૧૦ વર્ષ એમ કુલ ૪૮ વર્ષ સુધી દેશનું શાસન નેહરુ-ગાંધી પરિવારે ચલાવ્યું છે. કોંગ્રેસનું રાષ્ટ્રીય અધ્યક્ષ પદ નહેરૂ-ગાંધી પરીવારે ૩૯-૪૦ વર્ષથી ઘરમાં જ રાખ્યું અને હવે એ જ પરિવારના ફરજંદ રાહુલ ગાંધી અધ્યક્ષસ્થાને છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બુથનાં કાર્યકર્તામાંથી રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે અને તેમનાં વીઝન અને પરીશ્રમથી આજે ૧૩ કરોડનાં સભ્યો સાથે વિશ્વમાં સૌથી મોટી રાજકીય પાટીઁ બની છે. સંગઠનનો અનુભવ મેળવવા રાહુલ ગાંધીએ તાલુકા પ્રમુખ બનવું જોઈએ. કારણ કે, તેમની આગેવાનીમાં કોંગ્રેસ દેશમાં 28 ચૂંટણીઓ હારી છે. હવે ચૂંટણી જીતવામાં “ફેલ” એવા “ રાહુલ–રાફેલ” મુદ્દે જૂઠ્ઠા આક્ષેપો કરીને વિવાદ ઊભો કરવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યાં છે.
-
ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રેસ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી આકરી ટીકાને અનુમોદન આપીને જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીએ નહેરૂ ગાંધી પરીવારે સત્તા અને સંગઠન દાયકાઓ સુધી ઘરમાં જ રાખ્યું છે. તેમ કહીને સત્યને ઉજાગર કર્યું છે. કોંગ્રેસની માત્ર નેહરુ-ગાંધી પરીવારની વિચારધારા છે. જયારે ભાજપની વિચારધારા રાષ્ટ્ર એ જ પરીવાર અને વસુદૈવ કુટુમ્બકમની ભાવના સાથેની વિચારધારા છે. કોંગ્રેસના નેહરુ-ગાંધી પરિવારે ૩૮ વર્ષ પ્રધાનમંત્રી તરીકે રાજ કર્યું છે અને મનમોહનસિંહના બેકસીટ ડ્રાઈવીગના ૧૦ વર્ષ એમ કુલ ૪૮ વર્ષ સુધી દેશનું શાસન નેહરુ-ગાંધી પરિવારે ચલાવ્યું છે. કોંગ્રેસનું રાષ્ટ્રીય અધ્યક્ષ પદ નહેરૂ-ગાંધી પરીવારે ૩૯-૪૦ વર્ષથી ઘરમાં જ રાખ્યું અને હવે એ જ પરિવારના ફરજંદ રાહુલ ગાંધી અધ્યક્ષસ્થાને છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બુથનાં કાર્યકર્તામાંથી રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે અને તેમનાં વીઝન અને પરીશ્રમથી આજે ૧૩ કરોડનાં સભ્યો સાથે વિશ્વમાં સૌથી મોટી રાજકીય પાટીઁ બની છે. સંગઠનનો અનુભવ મેળવવા રાહુલ ગાંધીએ તાલુકા પ્રમુખ બનવું જોઈએ. કારણ કે, તેમની આગેવાનીમાં કોંગ્રેસ દેશમાં 28 ચૂંટણીઓ હારી છે. હવે ચૂંટણી જીતવામાં “ફેલ” એવા “ રાહુલ–રાફેલ” મુદ્દે જૂઠ્ઠા આક્ષેપો કરીને વિવાદ ઊભો કરવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યાં છે.