એક તરફ વડાપ્રધાન મોદી કચ્છમાં ટપ્પર ડેમમાં નર્મદાના પાણી પહોંચાડવાનો પ્રારંભ કરવા માટે આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ કચ્છના અબડાસાથી કોંગ્રેસના ધારાસભ્ય અને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે, જે ડેમમાં નર્મદાના પાણી પહોંચાડાશે તે ટપ્પર ડેમથી તો કચ્છની શરૂઆત થાય છે. તેની આગળ પાણી કેમ પહોંચાડાશે તે મોટો સવાલ છે. કારણકે 22 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં ફક્ત ઉત્સવોના નામે તાયફાઓ કરાયા છે, નર્મદાની કેનાલના નેટવર્કને પૂરું કરાયું નથી. તેથી સમગ્ર કચ્છને ક્યારે પાણી મળશે તે સવાલ જનતા પૂછી રહી છે. શક્તિસિંહે મોદીના આગમન પહેલા વિકાસના પ્રોજેક્ટ પર ચાબખા માર્યા છે.
એક તરફ વડાપ્રધાન મોદી કચ્છમાં ટપ્પર ડેમમાં નર્મદાના પાણી પહોંચાડવાનો પ્રારંભ કરવા માટે આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ કચ્છના અબડાસાથી કોંગ્રેસના ધારાસભ્ય અને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે, જે ડેમમાં નર્મદાના પાણી પહોંચાડાશે તે ટપ્પર ડેમથી તો કચ્છની શરૂઆત થાય છે. તેની આગળ પાણી કેમ પહોંચાડાશે તે મોટો સવાલ છે. કારણકે 22 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં ફક્ત ઉત્સવોના નામે તાયફાઓ કરાયા છે, નર્મદાની કેનાલના નેટવર્કને પૂરું કરાયું નથી. તેથી સમગ્ર કચ્છને ક્યારે પાણી મળશે તે સવાલ જનતા પૂછી રહી છે. શક્તિસિંહે મોદીના આગમન પહેલા વિકાસના પ્રોજેક્ટ પર ચાબખા માર્યા છે.