-
ભાજપના નેતા અને પૂર્વ નાણામંત્રી યશવંતસિંહા વિધાનસભાની ચૂંટણી વખતે જ 14 નવે.ના રોજ ગુજરાત આવી રહ્યાંના અહેવાલથી ભાજપના પ્રદેશ નેતાઓ તેમને ગુજરાત આવતાં રોકવાના પ્રયાસમાં લાગી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાજપના સૂત્રોનું માનવું છે કે હાલમાં ગુજરાતમાં પક્ષ માટે ચિત્ર સારૂ નથી. નોટબંધી અને જીએસટીના કારણે લોકોનો રોષ છે. ઉપરાંત સિંહાએ કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ સામે વિરોધ વંટોળ જગાવ્યો હતો. ચૂંટણીઓ સમયે જ તેઓ ગુજરાત આવીને રાજકોટ,અમદાવાદઅને સુરતમાં વેપારીઓ અને માધ્યમોને મળીને દેશના વર્તમાન આર્થિક બાબતો અંગે જ કહેવાના છે ત્યારે તેમનાથી ભાજપને નુકશાન થઇ શકે. આ બીકને ધ્યાનમાં રાખીને તેઓ ચૂંટણી સમયે ગુજરાત ના આવે તેવા પ્રયાસો થઇ રહ્યાં છે પરંતુ પોતાના આકરા સ્વભાવ માટે જાણીતા યશવંતસિંહા ગુજરાતની મુલાકાત ટાળે તેમ રાજકીય પરિબળોને લાગતું નથી.
-
ભાજપના નેતા અને પૂર્વ નાણામંત્રી યશવંતસિંહા વિધાનસભાની ચૂંટણી વખતે જ 14 નવે.ના રોજ ગુજરાત આવી રહ્યાંના અહેવાલથી ભાજપના પ્રદેશ નેતાઓ તેમને ગુજરાત આવતાં રોકવાના પ્રયાસમાં લાગી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાજપના સૂત્રોનું માનવું છે કે હાલમાં ગુજરાતમાં પક્ષ માટે ચિત્ર સારૂ નથી. નોટબંધી અને જીએસટીના કારણે લોકોનો રોષ છે. ઉપરાંત સિંહાએ કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ સામે વિરોધ વંટોળ જગાવ્યો હતો. ચૂંટણીઓ સમયે જ તેઓ ગુજરાત આવીને રાજકોટ,અમદાવાદઅને સુરતમાં વેપારીઓ અને માધ્યમોને મળીને દેશના વર્તમાન આર્થિક બાબતો અંગે જ કહેવાના છે ત્યારે તેમનાથી ભાજપને નુકશાન થઇ શકે. આ બીકને ધ્યાનમાં રાખીને તેઓ ચૂંટણી સમયે ગુજરાત ના આવે તેવા પ્રયાસો થઇ રહ્યાં છે પરંતુ પોતાના આકરા સ્વભાવ માટે જાણીતા યશવંતસિંહા ગુજરાતની મુલાકાત ટાળે તેમ રાજકીય પરિબળોને લાગતું નથી.