-
યુપીની લોકસભાની 80 બેઠકોમાં રાયબરેલી અને અમેઠી બે વીવીઆઇપી બેઠકો છે. આ બન્ને બેઠકો પરથી ગાંધી પરિવારના સભ્યો જીતતા આવ્યાં છે. સોનિયા ગાંધી રાયબરેલી અને રાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી 2014માં ફરીએક વાર જીત્યા હતા. ગઇ વખતે ભાજપે અમેઠીમાં સ્મૃતિ ઇરાનીને રાહુલની સામે મેદાનમાં ઉતાર્યા છતાં રાહુલ 1 લાખ કરતાં વધુ મતોથી ફરી જીત્યા હતા. રાહુલને 408651 મતો મળ્યા હતા. તો ઇરાનીને 300748 મતો મળ્યા હતા. 2009 કરતાં 2014માં રાહુલની જીતની સરેરાશ ઘટી ગઇ હતી. એક રીતે જોઇએ તો રાહુલ માંડ માંડ જીત્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી પરિવારના સભ્યોને ચૂંટણી જંગના મેદાનમાં પરાસ્ત કરવા માંગે છે અને ઇરાનીએ રાહુલને જોરદાર લડત આપી હોવાથી તેમને અમેઠી સાથે જીવંત સંપર્કમાં રાખ્યા છે. ઇરાનીએ તાજેતરમાં જ સુરતથી 10 હજાર સાડીઓ મંગાવીને અમેઠીમાં વહેંચી હતી. ઇરાનીને આગળ કરીને ભાજપે મતદારોને કોંગ્રેસથી દૂર રાખવાના પ્રયાસો કર્યા છે. 2019માં ઇરાની ફરીથી અમેઠીમાંથી જ રાહુલની સામે ટકરાશે અને ભાજપને એવી આશા છે કે આ વખતે તો ઇરાની જીતવાના જ છે. રાહુલને પરાસ્ત કરીને મોદી રાજકીય ક્ષેત્રે માસ્ટર સ્ટ્રોક મારવાના મૂડમાં છે. તેથી વડાપ્રધાન બન્યા બાદ આજે તેઓ અમેઠીમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવાના છે. સપા-બસપાએ યુપીમાં 80 બેઠકો માટે ગઠબંધન કર્યું તેમાં આ બે બેઠકો કોંગ્રેસ માટે ખાલી રાખી છે.
-
યુપીની લોકસભાની 80 બેઠકોમાં રાયબરેલી અને અમેઠી બે વીવીઆઇપી બેઠકો છે. આ બન્ને બેઠકો પરથી ગાંધી પરિવારના સભ્યો જીતતા આવ્યાં છે. સોનિયા ગાંધી રાયબરેલી અને રાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી 2014માં ફરીએક વાર જીત્યા હતા. ગઇ વખતે ભાજપે અમેઠીમાં સ્મૃતિ ઇરાનીને રાહુલની સામે મેદાનમાં ઉતાર્યા છતાં રાહુલ 1 લાખ કરતાં વધુ મતોથી ફરી જીત્યા હતા. રાહુલને 408651 મતો મળ્યા હતા. તો ઇરાનીને 300748 મતો મળ્યા હતા. 2009 કરતાં 2014માં રાહુલની જીતની સરેરાશ ઘટી ગઇ હતી. એક રીતે જોઇએ તો રાહુલ માંડ માંડ જીત્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી પરિવારના સભ્યોને ચૂંટણી જંગના મેદાનમાં પરાસ્ત કરવા માંગે છે અને ઇરાનીએ રાહુલને જોરદાર લડત આપી હોવાથી તેમને અમેઠી સાથે જીવંત સંપર્કમાં રાખ્યા છે. ઇરાનીએ તાજેતરમાં જ સુરતથી 10 હજાર સાડીઓ મંગાવીને અમેઠીમાં વહેંચી હતી. ઇરાનીને આગળ કરીને ભાજપે મતદારોને કોંગ્રેસથી દૂર રાખવાના પ્રયાસો કર્યા છે. 2019માં ઇરાની ફરીથી અમેઠીમાંથી જ રાહુલની સામે ટકરાશે અને ભાજપને એવી આશા છે કે આ વખતે તો ઇરાની જીતવાના જ છે. રાહુલને પરાસ્ત કરીને મોદી રાજકીય ક્ષેત્રે માસ્ટર સ્ટ્રોક મારવાના મૂડમાં છે. તેથી વડાપ્રધાન બન્યા બાદ આજે તેઓ અમેઠીમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવાના છે. સપા-બસપાએ યુપીમાં 80 બેઠકો માટે ગઠબંધન કર્યું તેમાં આ બે બેઠકો કોંગ્રેસ માટે ખાલી રાખી છે.