-
ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી-2019 માટે ઉમેદવારોની પહેલી યાદી બહાર પડી ત્યારે તેમાં વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણીનું પત્તુ કપાયેલું હતું. અડવાણી શાંત રહ્યાં. પરંતુ ગુજરાતની 26 બેઠકો માટે ભાજપે પ્રથમ યાદી જાહેર કરી ત્યારે સુરેન્દ્રનગર માટે સીટીંગ એમપી દેવજી ફતેપરાનું નામ કાપતા તેઓ અડવાણીની જેમ શાંત રહેવાને બદલે પક્ષની સામે પડ્યા છે. અને ભાજપના બે નેતા જયંતિ કવાડિયા અને ધનજી પટેલે મારી ટિકિટ કપાવી હોવાનો દાવો કરીને ભાજપને ધમકી આપી છે કે જો સમાજ કહેશે તો કોંગ્રેસમાં જોડાઇ જઇશ..! તેમણે એમ પણ કહ્યું કે ટિકિટ કપાયા બાદ પક્ષમાં કોઇ નેતા સાથે વાચ થઇ નથી. જેમને ટિકિટ મળી તે મહેન્દ્ર મુંજપરાનું સમાજમાં કોઇ સ્થાન નથી એમ પણ ફતેપરાએ કહ્યું હતું. આમ ભાજપની ગુજરાતની પહેલી જ યાદીમાં હૈયાહોળી શરૂ થઇ ગઇ છે. હજુ 10 બેઠકોના નામો જાહેર થાય અને તેમાં કોઇ નામ કપાય તો તેમની પ્રતિક્રિયા કેવી હશે તેના પર નજર હશે પક્ષના કાર્યકરોની અને નેતાઓની.
-
ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી-2019 માટે ઉમેદવારોની પહેલી યાદી બહાર પડી ત્યારે તેમાં વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણીનું પત્તુ કપાયેલું હતું. અડવાણી શાંત રહ્યાં. પરંતુ ગુજરાતની 26 બેઠકો માટે ભાજપે પ્રથમ યાદી જાહેર કરી ત્યારે સુરેન્દ્રનગર માટે સીટીંગ એમપી દેવજી ફતેપરાનું નામ કાપતા તેઓ અડવાણીની જેમ શાંત રહેવાને બદલે પક્ષની સામે પડ્યા છે. અને ભાજપના બે નેતા જયંતિ કવાડિયા અને ધનજી પટેલે મારી ટિકિટ કપાવી હોવાનો દાવો કરીને ભાજપને ધમકી આપી છે કે જો સમાજ કહેશે તો કોંગ્રેસમાં જોડાઇ જઇશ..! તેમણે એમ પણ કહ્યું કે ટિકિટ કપાયા બાદ પક્ષમાં કોઇ નેતા સાથે વાચ થઇ નથી. જેમને ટિકિટ મળી તે મહેન્દ્ર મુંજપરાનું સમાજમાં કોઇ સ્થાન નથી એમ પણ ફતેપરાએ કહ્યું હતું. આમ ભાજપની ગુજરાતની પહેલી જ યાદીમાં હૈયાહોળી શરૂ થઇ ગઇ છે. હજુ 10 બેઠકોના નામો જાહેર થાય અને તેમાં કોઇ નામ કપાય તો તેમની પ્રતિક્રિયા કેવી હશે તેના પર નજર હશે પક્ષના કાર્યકરોની અને નેતાઓની.