-
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને કાશ્મિરનો હવાલો સંભાળતા રામ માધવે એવો દાવો કર્યો હતો કે જમ્મુ-કાશ્મિરમાં મોરચાવાળી સરકાર બનાવવા પીડીપીના નેતા મહબૂબાને સીમા પારથી એટલે કે પાકિસ્તાનથી નિર્દેશો મળ્યા હતા. તેમના આવા આરોપોથી કાશ્મિરના રાજકારણમાં ભાજપ પ્રત્યે નારાજગી સર્જાઇ છે કેમ કે આ જ પીડીપી સાથે ભાજપે કાશ્મિરમાં મોરચાવાળી સરકાર બનાવી હતી. નોંધનીય છે કે પીડીપી અને એનસીએ કોંગ્રેસની સાથે મળીને મોરચાવાળી સરકાર બનાવવા રાજ્યપાલ સતપાલ મલિક સમક્ષ ગઇકાલે સાંજે દાવો કર્યો હતો. પરંતુ તેમને આવી તક આપવાને બદલે ભાજપ સરકાર દ્વારા મૂકાયેલા રાજ્યપાલ મલિકે વિધાનસભા જ ભંગ કરી નાંખી છે.
-
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને કાશ્મિરનો હવાલો સંભાળતા રામ માધવે એવો દાવો કર્યો હતો કે જમ્મુ-કાશ્મિરમાં મોરચાવાળી સરકાર બનાવવા પીડીપીના નેતા મહબૂબાને સીમા પારથી એટલે કે પાકિસ્તાનથી નિર્દેશો મળ્યા હતા. તેમના આવા આરોપોથી કાશ્મિરના રાજકારણમાં ભાજપ પ્રત્યે નારાજગી સર્જાઇ છે કેમ કે આ જ પીડીપી સાથે ભાજપે કાશ્મિરમાં મોરચાવાળી સરકાર બનાવી હતી. નોંધનીય છે કે પીડીપી અને એનસીએ કોંગ્રેસની સાથે મળીને મોરચાવાળી સરકાર બનાવવા રાજ્યપાલ સતપાલ મલિક સમક્ષ ગઇકાલે સાંજે દાવો કર્યો હતો. પરંતુ તેમને આવી તક આપવાને બદલે ભાજપ સરકાર દ્વારા મૂકાયેલા રાજ્યપાલ મલિકે વિધાનસભા જ ભંગ કરી નાંખી છે.