પશ્ચિમ બંગાળમાં ગત વર્ષે થનાર વિધાનસભા ચૂંટણીની પહેલા ભારતીય જનાત પાર્ટી અને તૃણમૂળ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ વધી રહ્યો છે. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં પાર્ટીના નેતા મનીષ શુક્લાની હત્યાના વિરોધમાં ભાજપ કાર્યકર્તાઓએ આજે કોલકાતામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે દરમિયાન તેમણે રાજ્ય સરકાર વિરુદ્ધ જોરદાર નારેબાજી કરી હતી. જો કે બીજેપી કાર્યકર્તાઓને આ પ્રદર્શનને રોકવા માટે રાજ્ય પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. પ્રદર્શન દરમિયાન ભાજપ કાર્યકર્તાઓએ પર પોલીસ લાઠીચાર્જ પણ કર્યો હતો. અને ટીયર ગેસ પણ છોડવામાં આવ્યો હતો.
ભાજપ કાર્યકર્તાઓએ ગુરુવારે સચિવાલયની બહાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન રાજ્યની બગડતી કાનૂન વ્યવસ્થાને લઇને મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગ પણ થઇ હતી. ભાજપના કાર્યકર્તાના પ્રદર્શન જોતા સચિવાલયની બહાર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ લગાવવામાં આવી હતી. પ્રદર્શન વખતે પોલીસે લાઠી ચાર્જ કરીને ટીયર ગેસના સેલ છોડ્યા હતા.
પશ્ચિમ બંગાળમાં ગત વર્ષે થનાર વિધાનસભા ચૂંટણીની પહેલા ભારતીય જનાત પાર્ટી અને તૃણમૂળ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ વધી રહ્યો છે. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં પાર્ટીના નેતા મનીષ શુક્લાની હત્યાના વિરોધમાં ભાજપ કાર્યકર્તાઓએ આજે કોલકાતામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે દરમિયાન તેમણે રાજ્ય સરકાર વિરુદ્ધ જોરદાર નારેબાજી કરી હતી. જો કે બીજેપી કાર્યકર્તાઓને આ પ્રદર્શનને રોકવા માટે રાજ્ય પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. પ્રદર્શન દરમિયાન ભાજપ કાર્યકર્તાઓએ પર પોલીસ લાઠીચાર્જ પણ કર્યો હતો. અને ટીયર ગેસ પણ છોડવામાં આવ્યો હતો.
ભાજપ કાર્યકર્તાઓએ ગુરુવારે સચિવાલયની બહાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન રાજ્યની બગડતી કાનૂન વ્યવસ્થાને લઇને મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગ પણ થઇ હતી. ભાજપના કાર્યકર્તાના પ્રદર્શન જોતા સચિવાલયની બહાર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ લગાવવામાં આવી હતી. પ્રદર્શન વખતે પોલીસે લાઠી ચાર્જ કરીને ટીયર ગેસના સેલ છોડ્યા હતા.