ભારતના બે જવાનોના શિરચ્છેદ કર્યાની ઘટના પછી ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટેની સજ્જતા પૂર્ણ કરી છે. જમ્મુ અને કાશ્મીરના રાજોરીથી લઈને પૂંચ સુધીની વાસ્તવિક નિયંત્રણ રેખા (એલઓસી) પર સેનાએ બોફોર્સ તોપો ગોઠવી છે. ઠેકઠેકાણે નાની તોપો પણ ગોઠવી દેવાઈ છે. પ્રત્યેક બે-ત્રણ કલાક પછી બોફોર્સ તોપોનું સ્થાન બદલામાં આવી રહ્યું છે. આ કારણે શત્રુ તોપોનું ચોક્કસ સ્થાન જાણી નહીં શકે. સામે બાજુ પાકિસ્તાને પણ સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે અને તોપો ગોઠવવાની શરૂઆત કરી છે.
ભારતના બે જવાનોના શિરચ્છેદ કર્યાની ઘટના પછી ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટેની સજ્જતા પૂર્ણ કરી છે. જમ્મુ અને કાશ્મીરના રાજોરીથી લઈને પૂંચ સુધીની વાસ્તવિક નિયંત્રણ રેખા (એલઓસી) પર સેનાએ બોફોર્સ તોપો ગોઠવી છે. ઠેકઠેકાણે નાની તોપો પણ ગોઠવી દેવાઈ છે. પ્રત્યેક બે-ત્રણ કલાક પછી બોફોર્સ તોપોનું સ્થાન બદલામાં આવી રહ્યું છે. આ કારણે શત્રુ તોપોનું ચોક્કસ સ્થાન જાણી નહીં શકે. સામે બાજુ પાકિસ્તાને પણ સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે અને તોપો ગોઠવવાની શરૂઆત કરી છે.