કેન્દ્રની મોદી સરકાર માટે શુક્રવારે લોકસભાની ચૂંટણી પહેલાંનું અંતિમ વચગાળાનું બજેટ રજૂ કરતાં કાર્યકારી નાણામંત્રી પીયૂષ ગોયલે ચૂંટણીલક્ષી જાહેરાતોનો વરસાદ વરસાવ્યો હતો. પગારદાર, પેન્શનર સહિતના મધ્યમવર્ગને મોટી રાહત આપતાં ગોયલે આવકવેરા મુક્તિમર્યાદા રૂપિયા પાંચ લાખ કરવાની ઘોષણા કરી હતી. તે ઉપરાંત સમસ્યાઓનો સામનો કરી રહેલા ખેડૂતોને રાહત આપવા ગોયલે વર્ષ ૨૦૧૯-૨૦નાં નાણાકીય વર્ષમાં ખેડૂતોને સીધી આર્થિક સહાય આપતી પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ અને બિનસંગઠિત ક્ષેત્રના કામદારોને સામાજિક સુરક્ષા આપતી પ્રધાનમંત્રી શ્રમયોગ માનધન યોજનાઓની જાહેરાતની સાથે ન્યૂ ઈન્ડિયાનાં નિર્માણ માટે વિઝન ૨૦૩૦ રજૂ કર્યું હતું.
કેન્દ્રની મોદી સરકાર માટે શુક્રવારે લોકસભાની ચૂંટણી પહેલાંનું અંતિમ વચગાળાનું બજેટ રજૂ કરતાં કાર્યકારી નાણામંત્રી પીયૂષ ગોયલે ચૂંટણીલક્ષી જાહેરાતોનો વરસાદ વરસાવ્યો હતો. પગારદાર, પેન્શનર સહિતના મધ્યમવર્ગને મોટી રાહત આપતાં ગોયલે આવકવેરા મુક્તિમર્યાદા રૂપિયા પાંચ લાખ કરવાની ઘોષણા કરી હતી. તે ઉપરાંત સમસ્યાઓનો સામનો કરી રહેલા ખેડૂતોને રાહત આપવા ગોયલે વર્ષ ૨૦૧૯-૨૦નાં નાણાકીય વર્ષમાં ખેડૂતોને સીધી આર્થિક સહાય આપતી પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ અને બિનસંગઠિત ક્ષેત્રના કામદારોને સામાજિક સુરક્ષા આપતી પ્રધાનમંત્રી શ્રમયોગ માનધન યોજનાઓની જાહેરાતની સાથે ન્યૂ ઈન્ડિયાનાં નિર્માણ માટે વિઝન ૨૦૩૦ રજૂ કર્યું હતું.