ભાગેડુ આર્થિક અપરાધી વિજય માલ્યાના પ્રત્યર્પણ કેસમાં ભારતને મોટી સફળતા મળી છે. બ્રિટિશ સરકારે વિજય માલ્યાના ભારતને પ્રત્યર્પણના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. વિજય માલ્યાના પ્રત્યર્પણ આદેશ પર બ્રિટનના ગૃહસચિવ સાજિદ જાવિદે હસ્તાક્ષર કરી દીધા હતા. આથી કરીને વિજય માલ્યાને ભારત લાવવાની શક્યતા વધી ગઈ છે. ૬૨ વર્ષના કિંગફીશર એરલાઈનનના વડા વિજય માલ્યા આ આદેશ સામે ઉચ્ચ કોર્ટમાં બે સપ્તાહમાં અપીલ કરી શકશે. ભારતે બ્રિટીશ સરકારના આ નિર્ણયને આવકાર આપ્યો છે. બ્રિટનના આ નિર્ણયને ભારતના રાજદ્વારી વિજયના રૂપમાં જોવામાં આવે છે.
ભાગેડુ આર્થિક અપરાધી વિજય માલ્યાના પ્રત્યર્પણ કેસમાં ભારતને મોટી સફળતા મળી છે. બ્રિટિશ સરકારે વિજય માલ્યાના ભારતને પ્રત્યર્પણના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. વિજય માલ્યાના પ્રત્યર્પણ આદેશ પર બ્રિટનના ગૃહસચિવ સાજિદ જાવિદે હસ્તાક્ષર કરી દીધા હતા. આથી કરીને વિજય માલ્યાને ભારત લાવવાની શક્યતા વધી ગઈ છે. ૬૨ વર્ષના કિંગફીશર એરલાઈનનના વડા વિજય માલ્યા આ આદેશ સામે ઉચ્ચ કોર્ટમાં બે સપ્તાહમાં અપીલ કરી શકશે. ભારતે બ્રિટીશ સરકારના આ નિર્ણયને આવકાર આપ્યો છે. બ્રિટનના આ નિર્ણયને ભારતના રાજદ્વારી વિજયના રૂપમાં જોવામાં આવે છે.