BSF (બોર્ડર સિક્યોરિટી ફોર્સ)ના જવાનોએ આજે સરહદ પાર કરી પંજાબના ગુરદાસપુરમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહેલા પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો. રવિવારે સવારે જમ્મુ-કાશ્મીરના હંદવાડાના વેરિપોરા વિસ્તારમાં લશ્કર-એ-તોઇબાના કેટલાક આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. વેરિપોરામાં આતંકવાદીઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે અથડામણ થઇ હતી, જેમાં ભારતીય જવાનોએ લશ્કર-એ-તોઇબાના બે આતંકીઓને ઠાર માર્યા હતા.