Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમ કોર્ટમાં ટ્રિપલ તલાકના મુદ્દે સતત પાંચમા દિવસે પક્ષકારોની દલીલો ચાલુ રહી હતી. સરકાર વતી એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ટ્રિપલ તલાકની હાલની તમામ પદ્ધતિનો વિરોધ કરી રહી છે. સરકાર જો જરૂર પડશે તો આ મુદ્દે ખરડો પસાર કરીને નવો કાયદો બનાવવા તૈયાર છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડને બુધવારે અણિયાળો સવાલ પૂછયો હતો.શું મહિલાઓ એક સાથે ત્રણ તલાકને ફગાવી શકે અને તલાક સ્વીકારવા ઈનકાર કરે તેવો હક આપી શકાય? ત્રણ તલાક પછી તરત લગ્નનો અંત ન આવે તેવો નિયમ નિકાહનામામાં દાખલ કરી શકાય ખરો? ત્યારે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા આ સૂચનને આવકારવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટમાં ટ્રિપલ તલાકના મુદ્દે સતત પાંચમા દિવસે પક્ષકારોની દલીલો ચાલુ રહી હતી. સરકાર વતી એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ટ્રિપલ તલાકની હાલની તમામ પદ્ધતિનો વિરોધ કરી રહી છે. સરકાર જો જરૂર પડશે તો આ મુદ્દે ખરડો પસાર કરીને નવો કાયદો બનાવવા તૈયાર છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડને બુધવારે અણિયાળો સવાલ પૂછયો હતો.શું મહિલાઓ એક સાથે ત્રણ તલાકને ફગાવી શકે અને તલાક સ્વીકારવા ઈનકાર કરે તેવો હક આપી શકાય? ત્રણ તલાક પછી તરત લગ્નનો અંત ન આવે તેવો નિયમ નિકાહનામામાં દાખલ કરી શકાય ખરો? ત્યારે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા આ સૂચનને આવકારવામાં આવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ