Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભાની ચૂંટણીનાં પડઘમ મધ્યે કેન્દ્રની મોદી સરકારે જનરલ કેટેગરીમાં આવતાં આર્થિક રીતે નબળાં લોકો માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિકસંસ્થાઓમાં ૧૦ ટકા અનામતને મંજૂરી આપી દીધી છે. સોમવારે દિલ્હી ખાતે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગરીબ સવર્ણોને અનામતના લાભ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સરકારના પ્રસ્તાવ અનુસાર જનરલ કેટેગરીમાં આવતા રૂપિયા ૮ લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારોને અનામતનો લાભ અપાશે.

આ અનામત સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત કરેલી અનામતની ૫૦ ટકાની મર્યાદા ઉપરાંતની હશે. આ માટે સરકાર મંગળવારે બંધારણના આર્ટિકલ ૧૫ અને ૧૬માં સુધારો કરવા માટે સંસદમાં ખરડો રજૂ કરે તેવી સંભાવના છે. સરકારે આ નિર્ણય ફક્ત જાતિના આધારે નહીં પરંતુ આર્થિક સ્થિતિના આધારે અનામત આપવી જોઈએ તેવા સંઘનાં મંતવ્યના આધારે લીધો હોવાનું મનાય છે. કોઈપણ પ્રકારની અનામતની ૫૦ ટકાની મર્યાદા બહાર જવી જોઈએ નહીં તેવા સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન ન થાય તે માટે સરકારે બંધારણીય સુધારો કરવાનો નિર્ણય કર્યો છે, જેથી તેનાં આ પગલાંને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય નહીં. આ માટેનો ખરડો તૈયાર થઈ ગયો હોવાનું મનાય છે અને મંગળવારે સંસદમાં રજૂ થાય તેવી સંભાવના છે, જોકે સંસદમાં ખરડો પસાર ન થાય ત્યાંસુધી તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપી શકાય છે. સંસદમાં આ ખરડાને તાત્કાલિક બહાલી મળે તેવા હાલ સંજોગો દેખાતા નથી. મોદી સરકારે લોકસભાની ચૂંટણી પહેલાં સવર્ણોને અનામતના પ્રસ્તાવને મંજૂરી આપીને ગેમ-ચેન્જર દાવ રમ્યો છે. એસસી-એસટી એટ્રોસિટી એક્ટમાં સુપ્રીમના ચુકાદાને ઊલટાવીને મોદી સરકાર સવર્ણોના રોષનો ભોગ બની હતી, તે ઉપરાંત અનામતને કારણે ગરીબ અને મધ્યમવર્ગીય સવર્ણો દરેક સરકારથી નારાજ રહેતાં હતાં. સવર્ણોની નારાજગી દૂર કરવા સરકારે આ પત્તું ઉતાર્યું છે.

૫૬ ઇંચની છાતીવાળો જ આવો નિર્ણય લઈ શકે છે : ભાજપ

કેન્દ્રીય મંત્રી શિવપ્રતાપ શુક્લાએ સરકારના નિર્ણયને ઐતિહાસક ગણાવતાં જણાવ્યું હતું કે, આ પ્રકારનો નિર્ણય ૫૬ ઇંચની છાતીવાળો જ લઈ શકે છે. મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે, સરકારના આ નિર્ણયથી સમાજના એક મોટા વર્ગને લાભ થશે.

સરકારે મજાક કરી, આ વધુ એક ચૂંટણી જુમલો સાબિત થશે : કોંગ્રેસ

કોંગ્રેસના નેતાઓએ મોદી સરકારના નિર્ણયને મજાક ગણાવતાં જણાવ્યું હતું કે, સરકાર લોકોને મૂર્ખ બનાવી રહી છે. આ વધુ એક ચૂંટણી જુમલો સાબિત થશે. કોંગ્રેસના નેતા હરીશ રાવતે જણાવ્યું હતું કે, સરકાર હવે ગમે તેટલા જુમલા આપે પરંતુ તે બચી શકવાની નથી.

કોંગ્રેસના સરકારને ૪ સવાલ

સરકાર ૪ વર્ષ અને ૮ મહિના સુધી ફક્ત વિચારણા કરી રહી હતી?
ચૂંટણી આચારસંહિતા લાગુ થાય તેના ૩ મહિના પહેલાંનું ચૂંટણી ગિમિક?
સરકાર જાણતી નથી કે, અનામત પર ૫૦ ટકાની મર્યાદા લદાયેલી છે?
સરકાર પાસે બંધારણીય સુધારા ખરડો પસાર કરાવવા બહુમતી છે?
દલિતોના આરોપ

ભાજપે નિરાશામાં આ પગલું લીધું છે જેનો તેને કોઇ રાજકીય લાભ થવાનો નથી.
ભાજપ હંમેશાં સમાજને વિભાજિત કરવાનું કામ કરે છે, સવર્ણ અનામત દ્વારા પોતાની મતબેન્ક મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
અનામતને નિષ્ક્રિય કરવા માટે જ ભાજપ અને હિંદુવાદી સંગઠનો રામમંદિર આંદોલન ચલાવી રહ્યા છે.
રાજકીય ચિત્ર બદલવા માટે સરકાર દ્વારા બંધારણ વિરોધી નિર્ણય લેવાયો.
સરકારે વિપક્ષને વિશ્વાસમાં લીધા વિના નિર્ણય લીધો, તેની ઇચ્છાશક્તિમાં ખોટ છે.

લોકસભાની ચૂંટણીનાં પડઘમ મધ્યે કેન્દ્રની મોદી સરકારે જનરલ કેટેગરીમાં આવતાં આર્થિક રીતે નબળાં લોકો માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિકસંસ્થાઓમાં ૧૦ ટકા અનામતને મંજૂરી આપી દીધી છે. સોમવારે દિલ્હી ખાતે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગરીબ સવર્ણોને અનામતના લાભ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સરકારના પ્રસ્તાવ અનુસાર જનરલ કેટેગરીમાં આવતા રૂપિયા ૮ લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારોને અનામતનો લાભ અપાશે.

આ અનામત સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત કરેલી અનામતની ૫૦ ટકાની મર્યાદા ઉપરાંતની હશે. આ માટે સરકાર મંગળવારે બંધારણના આર્ટિકલ ૧૫ અને ૧૬માં સુધારો કરવા માટે સંસદમાં ખરડો રજૂ કરે તેવી સંભાવના છે. સરકારે આ નિર્ણય ફક્ત જાતિના આધારે નહીં પરંતુ આર્થિક સ્થિતિના આધારે અનામત આપવી જોઈએ તેવા સંઘનાં મંતવ્યના આધારે લીધો હોવાનું મનાય છે. કોઈપણ પ્રકારની અનામતની ૫૦ ટકાની મર્યાદા બહાર જવી જોઈએ નહીં તેવા સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન ન થાય તે માટે સરકારે બંધારણીય સુધારો કરવાનો નિર્ણય કર્યો છે, જેથી તેનાં આ પગલાંને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય નહીં. આ માટેનો ખરડો તૈયાર થઈ ગયો હોવાનું મનાય છે અને મંગળવારે સંસદમાં રજૂ થાય તેવી સંભાવના છે, જોકે સંસદમાં ખરડો પસાર ન થાય ત્યાંસુધી તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપી શકાય છે. સંસદમાં આ ખરડાને તાત્કાલિક બહાલી મળે તેવા હાલ સંજોગો દેખાતા નથી. મોદી સરકારે લોકસભાની ચૂંટણી પહેલાં સવર્ણોને અનામતના પ્રસ્તાવને મંજૂરી આપીને ગેમ-ચેન્જર દાવ રમ્યો છે. એસસી-એસટી એટ્રોસિટી એક્ટમાં સુપ્રીમના ચુકાદાને ઊલટાવીને મોદી સરકાર સવર્ણોના રોષનો ભોગ બની હતી, તે ઉપરાંત અનામતને કારણે ગરીબ અને મધ્યમવર્ગીય સવર્ણો દરેક સરકારથી નારાજ રહેતાં હતાં. સવર્ણોની નારાજગી દૂર કરવા સરકારે આ પત્તું ઉતાર્યું છે.

૫૬ ઇંચની છાતીવાળો જ આવો નિર્ણય લઈ શકે છે : ભાજપ

કેન્દ્રીય મંત્રી શિવપ્રતાપ શુક્લાએ સરકારના નિર્ણયને ઐતિહાસક ગણાવતાં જણાવ્યું હતું કે, આ પ્રકારનો નિર્ણય ૫૬ ઇંચની છાતીવાળો જ લઈ શકે છે. મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે, સરકારના આ નિર્ણયથી સમાજના એક મોટા વર્ગને લાભ થશે.

સરકારે મજાક કરી, આ વધુ એક ચૂંટણી જુમલો સાબિત થશે : કોંગ્રેસ

કોંગ્રેસના નેતાઓએ મોદી સરકારના નિર્ણયને મજાક ગણાવતાં જણાવ્યું હતું કે, સરકાર લોકોને મૂર્ખ બનાવી રહી છે. આ વધુ એક ચૂંટણી જુમલો સાબિત થશે. કોંગ્રેસના નેતા હરીશ રાવતે જણાવ્યું હતું કે, સરકાર હવે ગમે તેટલા જુમલા આપે પરંતુ તે બચી શકવાની નથી.

કોંગ્રેસના સરકારને ૪ સવાલ

સરકાર ૪ વર્ષ અને ૮ મહિના સુધી ફક્ત વિચારણા કરી રહી હતી?
ચૂંટણી આચારસંહિતા લાગુ થાય તેના ૩ મહિના પહેલાંનું ચૂંટણી ગિમિક?
સરકાર જાણતી નથી કે, અનામત પર ૫૦ ટકાની મર્યાદા લદાયેલી છે?
સરકાર પાસે બંધારણીય સુધારા ખરડો પસાર કરાવવા બહુમતી છે?
દલિતોના આરોપ

ભાજપે નિરાશામાં આ પગલું લીધું છે જેનો તેને કોઇ રાજકીય લાભ થવાનો નથી.
ભાજપ હંમેશાં સમાજને વિભાજિત કરવાનું કામ કરે છે, સવર્ણ અનામત દ્વારા પોતાની મતબેન્ક મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
અનામતને નિષ્ક્રિય કરવા માટે જ ભાજપ અને હિંદુવાદી સંગઠનો રામમંદિર આંદોલન ચલાવી રહ્યા છે.
રાજકીય ચિત્ર બદલવા માટે સરકાર દ્વારા બંધારણ વિરોધી નિર્ણય લેવાયો.
સરકારે વિપક્ષને વિશ્વાસમાં લીધા વિના નિર્ણય લીધો, તેની ઇચ્છાશક્તિમાં ખોટ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ