કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેંકે કાળાં નાણાંને ટ્રેક કરવા માટે દેશમાં તમામ પ્રકારના ટ્રાન્જેક્શન્સ સંબંધિત ડેટાબેસ બનાવવા અંગે ચર્ચાવિચારણા શરૂ કરી છે. આનાથી મની લૉન્ડરિંગ અને બનાવટી કંપનીઓનાં કૌભાંડ અટકાવાશે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર, એક એવા પ્લેટફોર્મને બનાવવાના પ્રસ્તાવ પર વિચારણા ચાલી રહી છે, જેમાં દેશભરમાં કરાયેલા તમામ ગેરકાયદે ટ્રાન્જેક્શનનો રેકોર્ડ મળી રહે અને તેને જરૂરિયાત મુજબ જોઈ શકાય.