-
અમદાવાદમાં ટીવી-9ના પત્રકાર ચિરાગ પટેલની હત્યાના પડઘા ગાંધીનગર સરકારમાં પણ પડ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ મિડિયાને કહ્યું કે પત્રકાર ચિરાગ પટેલ કેસની નિષ્પક્ષ તપાસ કરવાના કડક આદેશો પોલીસ તંત્રને આપ્યાં છે. તેમણે ખાતરી આપી કે દોષિત કોઇ પણ હોય તેમને છોડવામાં નહીં આવે. . ચિરાગના પરિવાર સાથે ભાજપની સંવેદનાઓ, તેમનાપરિવારની લાગણી સાથે ભાજપની લાગણી પણ જોડાયેલી છે. દરમ્યાનમાં પત્રકાર ચિરાગ પટેલા પિતાએ આજે ગાંધીનગર ખાતે જઇને સરકારમાં તપાસની માંગણી અને રજૂઆત કરી હતી. સ્વ. પત્રકારની યાદમાં અને તપાસમાં ઝડપ માટે દબાણ લાવવા મિડિયા દ્વારા અમદાવાદના વસ્ત્રાપુર તળાવ ખાતે રાત્રે 9 કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.
-
અમદાવાદમાં ટીવી-9ના પત્રકાર ચિરાગ પટેલની હત્યાના પડઘા ગાંધીનગર સરકારમાં પણ પડ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ મિડિયાને કહ્યું કે પત્રકાર ચિરાગ પટેલ કેસની નિષ્પક્ષ તપાસ કરવાના કડક આદેશો પોલીસ તંત્રને આપ્યાં છે. તેમણે ખાતરી આપી કે દોષિત કોઇ પણ હોય તેમને છોડવામાં નહીં આવે. . ચિરાગના પરિવાર સાથે ભાજપની સંવેદનાઓ, તેમનાપરિવારની લાગણી સાથે ભાજપની લાગણી પણ જોડાયેલી છે. દરમ્યાનમાં પત્રકાર ચિરાગ પટેલા પિતાએ આજે ગાંધીનગર ખાતે જઇને સરકારમાં તપાસની માંગણી અને રજૂઆત કરી હતી. સ્વ. પત્રકારની યાદમાં અને તપાસમાં ઝડપ માટે દબાણ લાવવા મિડિયા દ્વારા અમદાવાદના વસ્ત્રાપુર તળાવ ખાતે રાત્રે 9 કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.