-
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે 26 ડિસે.ના રોજ પોતાની બીજી ઇનિંગની સરકારના એક વર્ષ પૂરા થવાના ટાણે ભ્રષ્ટાચારના મુદ્દે મોટી અને ખુદ સરકારના મોઢે એવી કબૂલાત કરી છે કે ભ્રષ્ટાચાર ક્યાં થાય છે તે બધા જાણે છે. અમારી સરકારમાં ભ્રષ્ટાચારના મામલે સૌથી વધુ ખરાબ કોઇ વિભાગ હોય તો તે છે મહેસુલ વિભાગ.ભ્રષ્ટાચાર એટલો બધો કે જમીન છુટી કરાવવી હોય કે એનએ કરાવવી હોય તો ઘણીવાર અધિકારીઓ જમીનના એવા કાગળિયા માંગે કે આપણને એમ થાય કે ક્યાંક એવા કાગળિયા ના માંગે પૃથ્વીની ઉત્પત્તિના પુરાવા લાવો..! તેમણે સરકારને એક વર્ષ પૂરા થયા અંગેના એક સમારોહમાં એમ પણ કહ્યું કે ભ્રષ્ટાચારમાં પોલીસ તંત્ર બીજા નંબરે છે. આ વિભાગો સહિત સરકારના અન્ય વિભાગોમાંથી ભ્રષ્ટાચારને દૂર કરવા સરકાર તમામ સેવા ઓનલાઇન કરી રહી છે. જેમાં જમીનની એનએનો પણ સમાવેશ થાય છે.
-
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે 26 ડિસે.ના રોજ પોતાની બીજી ઇનિંગની સરકારના એક વર્ષ પૂરા થવાના ટાણે ભ્રષ્ટાચારના મુદ્દે મોટી અને ખુદ સરકારના મોઢે એવી કબૂલાત કરી છે કે ભ્રષ્ટાચાર ક્યાં થાય છે તે બધા જાણે છે. અમારી સરકારમાં ભ્રષ્ટાચારના મામલે સૌથી વધુ ખરાબ કોઇ વિભાગ હોય તો તે છે મહેસુલ વિભાગ.ભ્રષ્ટાચાર એટલો બધો કે જમીન છુટી કરાવવી હોય કે એનએ કરાવવી હોય તો ઘણીવાર અધિકારીઓ જમીનના એવા કાગળિયા માંગે કે આપણને એમ થાય કે ક્યાંક એવા કાગળિયા ના માંગે પૃથ્વીની ઉત્પત્તિના પુરાવા લાવો..! તેમણે સરકારને એક વર્ષ પૂરા થયા અંગેના એક સમારોહમાં એમ પણ કહ્યું કે ભ્રષ્ટાચારમાં પોલીસ તંત્ર બીજા નંબરે છે. આ વિભાગો સહિત સરકારના અન્ય વિભાગોમાંથી ભ્રષ્ટાચારને દૂર કરવા સરકાર તમામ સેવા ઓનલાઇન કરી રહી છે. જેમાં જમીનની એનએનો પણ સમાવેશ થાય છે.