-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ન્યૂઝીલેન્ડમાં થયેલી ગોળીબારની ઘટનાને દુઃખદ ગણાવી છે. તેમણે આ ઘટનામાં પ્રભાવિત થયેલા અને ન્યૂઝીલેન્ડમાં વસવાટ કરતા ગુજરાતી પરિવારોની સલામતિ-સુરક્ષા પ્રબંધ અંગે તથા ઇજાગ્રસ્તો કે મૃત્યુ પામેલા વ્યકિતઓના કુટુંબીજનો ન્યૂઝીલેન્ડ જવા ઇચ્છતા હોય તો વિઝાની ઝડપી કાર્યવાહીમાં મદદરૂપ થવા રાજ્યના વરિષ્ઠ સચિવોને સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. એમ. તિવારી ન્યૂઝીલેન્ડ ખાતેના ભારતીય હાઇકમિશનર સંજીવ કોહલીના સતત સંપર્કમાં છે. આ ઘટનામાં દુઃખદ અવસાન પામેલા તથા ઇજાગ્રસ્તોના પરિવારજનોને જરૂરી મદદ પહોચાડવા પણ તેમણે હાઇકમિશનરને અનુરોધ કર્યો છે. રૂપાણીએ આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા કે ઇજા પામેલા વ્યકિતઓના ગુજરાતમાં વસતા પરિવારજનો ન્યૂઝીલેન્ડ જવા ઇચ્છે તો તેમને વીઝા ઝડપથી મળી રહે તે માટે સામાન્ય વિહવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતાસિંહને કેન્દ્રીય વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં રહીને યોગ્ય કાર્યવાહીની સૂચનાઓ પણ આપી છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયે દુઃખદ ઘટનાની આ વેળાએ કોઇ પણ પ્રકારની મદદ માટે ન્યૂઝીલેન્ડના ભારતીય હાઇકમિશનનો સંપર્ક કરવા બે ફોન નંબર જાહેર કર્યા છે.
- બે નંબર :- ૦૨૧૮૦૩૮૯૯ અને ૦૨૧૮૫૦૦૩૩ ફોન પર સંપર્ક કરીને પણ મદદ મેળવી શકાશે.
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ન્યૂઝીલેન્ડમાં થયેલી ગોળીબારની ઘટનાને દુઃખદ ગણાવી છે. તેમણે આ ઘટનામાં પ્રભાવિત થયેલા અને ન્યૂઝીલેન્ડમાં વસવાટ કરતા ગુજરાતી પરિવારોની સલામતિ-સુરક્ષા પ્રબંધ અંગે તથા ઇજાગ્રસ્તો કે મૃત્યુ પામેલા વ્યકિતઓના કુટુંબીજનો ન્યૂઝીલેન્ડ જવા ઇચ્છતા હોય તો વિઝાની ઝડપી કાર્યવાહીમાં મદદરૂપ થવા રાજ્યના વરિષ્ઠ સચિવોને સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. એમ. તિવારી ન્યૂઝીલેન્ડ ખાતેના ભારતીય હાઇકમિશનર સંજીવ કોહલીના સતત સંપર્કમાં છે. આ ઘટનામાં દુઃખદ અવસાન પામેલા તથા ઇજાગ્રસ્તોના પરિવારજનોને જરૂરી મદદ પહોચાડવા પણ તેમણે હાઇકમિશનરને અનુરોધ કર્યો છે. રૂપાણીએ આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા કે ઇજા પામેલા વ્યકિતઓના ગુજરાતમાં વસતા પરિવારજનો ન્યૂઝીલેન્ડ જવા ઇચ્છે તો તેમને વીઝા ઝડપથી મળી રહે તે માટે સામાન્ય વિહવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતાસિંહને કેન્દ્રીય વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં રહીને યોગ્ય કાર્યવાહીની સૂચનાઓ પણ આપી છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયે દુઃખદ ઘટનાની આ વેળાએ કોઇ પણ પ્રકારની મદદ માટે ન્યૂઝીલેન્ડના ભારતીય હાઇકમિશનનો સંપર્ક કરવા બે ફોન નંબર જાહેર કર્યા છે.
- બે નંબર :- ૦૨૧૮૦૩૮૯૯ અને ૦૨૧૮૫૦૦૩૩ ફોન પર સંપર્ક કરીને પણ મદદ મેળવી શકાશે.