Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાતા કેયુર શાહ નામના વ્યક્તિએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. આ માટે વ્યક્તિએ ચૂંટણી પંચમાં આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપ દ્વારા સરકારી મિલકતનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આચાર સંહિતાનો ભંગ છે.

આ અરજી સાથે અરજદારે તસવીરો પણ અટેચ કરી હતી. અરજીમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના ફેસબુક પેજ પર આ તસવીરો પોસ્ટ કરી છે. આ સાથે એવી રજુઆત પણ કરવામાં આવી છે કે, CM રૂપાણી સહિત ભાજપના ટોચના નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, અત્યારે દેશમાં આચાર સંહિતા લાગૂ છે ત્યારે સરકારી જગ્યાનો ઉપયોગ રાજકીય ગતિવિધિઓ માટે કરી શકાય નહીં.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાતા કેયુર શાહ નામના વ્યક્તિએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. આ માટે વ્યક્તિએ ચૂંટણી પંચમાં આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપ દ્વારા સરકારી મિલકતનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આચાર સંહિતાનો ભંગ છે.

આ અરજી સાથે અરજદારે તસવીરો પણ અટેચ કરી હતી. અરજીમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના ફેસબુક પેજ પર આ તસવીરો પોસ્ટ કરી છે. આ સાથે એવી રજુઆત પણ કરવામાં આવી છે કે, CM રૂપાણી સહિત ભાજપના ટોચના નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, અત્યારે દેશમાં આચાર સંહિતા લાગૂ છે ત્યારે સરકારી જગ્યાનો ઉપયોગ રાજકીય ગતિવિધિઓ માટે કરી શકાય નહીં.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ