-
કોંગ્રેસ મોરચા તરફથી આજે સવારે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ પુલવામા-એરસ્ટ્રાઇકના પુરાવાની ગોળીબારી કરવાની સાથે બપોરે કર્ણાટકના ભાજપના પૂર્વ મુખ્યમંત્રી યેદુરપ્પાએ ભાજપની નેતાગીરીને 1800 કરોડની લાંચ આપી હોવાના મોટા આરોપ સાથે એક ડાયરીનો હવાલો આપ્યો જે ડાયરી આવકવેરા વિભાગની પાસે છે અને તેમાનાં હસ્તાક્ષરો યેદુરપ્પાના છે. એવો દાવો કરીને તેની તપાસની માંગ કરી હતી. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કેટલાક દસ્તાવેજો સાથે પત્રકાર પરિષદમાં દાવો કર્યો કે યેદુરપ્પા મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ભાજપને અને ભાજપના નેતાઓમાં નરેન્દ્ર મોદી-અડવાણી-ગડકરી-રાજનાથસિંહ અને અરૂણ જેટલીને મળીને 1800 કરોડ પહોંચાડ્યા હતા. એક ડાયરીમાં આ તમનામ વિગતો છે અને એ ડાયરી આવકવેરા વિભાગ પાસે છે જ. તેમણે આ ડાયરીની વિગતો ટાંકીને એવો પણ દાવો કર્યો કે કેટલાક જજોને 250 કરોડ આપવામાં આવ્યાં હોવાનો પણ ઉલ્લેખ છે. તેમણે રાજકીય પ્રહાર કરતાં કહ્યું કે વડાપ્રધાન મોદી કે જેઓ પોતાને ચોકીદાર ગણાવે છે તેઓ હવે ચોકીદાર ચોરની સાથે ચોરો કા સરદાર પણ સાબિત થયા છે. સરકારમાં હિંમત હોય તો આ ડાયરીની તપાસના આદેશ આપે એમ પણ તેમણે માંગ કરી હતી.
-
કોંગ્રેસ મોરચા તરફથી આજે સવારે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ પુલવામા-એરસ્ટ્રાઇકના પુરાવાની ગોળીબારી કરવાની સાથે બપોરે કર્ણાટકના ભાજપના પૂર્વ મુખ્યમંત્રી યેદુરપ્પાએ ભાજપની નેતાગીરીને 1800 કરોડની લાંચ આપી હોવાના મોટા આરોપ સાથે એક ડાયરીનો હવાલો આપ્યો જે ડાયરી આવકવેરા વિભાગની પાસે છે અને તેમાનાં હસ્તાક્ષરો યેદુરપ્પાના છે. એવો દાવો કરીને તેની તપાસની માંગ કરી હતી. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કેટલાક દસ્તાવેજો સાથે પત્રકાર પરિષદમાં દાવો કર્યો કે યેદુરપ્પા મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ભાજપને અને ભાજપના નેતાઓમાં નરેન્દ્ર મોદી-અડવાણી-ગડકરી-રાજનાથસિંહ અને અરૂણ જેટલીને મળીને 1800 કરોડ પહોંચાડ્યા હતા. એક ડાયરીમાં આ તમનામ વિગતો છે અને એ ડાયરી આવકવેરા વિભાગ પાસે છે જ. તેમણે આ ડાયરીની વિગતો ટાંકીને એવો પણ દાવો કર્યો કે કેટલાક જજોને 250 કરોડ આપવામાં આવ્યાં હોવાનો પણ ઉલ્લેખ છે. તેમણે રાજકીય પ્રહાર કરતાં કહ્યું કે વડાપ્રધાન મોદી કે જેઓ પોતાને ચોકીદાર ગણાવે છે તેઓ હવે ચોકીદાર ચોરની સાથે ચોરો કા સરદાર પણ સાબિત થયા છે. સરકારમાં હિંમત હોય તો આ ડાયરીની તપાસના આદેશ આપે એમ પણ તેમણે માંગ કરી હતી.