અમદાવાદ શહેરના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે ગૌહત્યાના વિરોધમાં ગૌભક્ત ચૈતન્યશંભુ મહારાજ 48 કલાકના પ્રતીક ઉપવાસ પર બેઠા છે, ત્યારે ઉપવાસના સ્થળે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. ઉપવાસ સ્થળે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. જેમાં કોંગ્રેસના શહેર પ્રમુખ ચેતન રાવલ અને પૂર્વ મેયર અમિત શાહ વચ્ચે મારામારી થઇ હતી. આ ઘટનામાં કોંગ્રેસના શહેર પ્રમુખનો શર્ટ ફાટી ગયો હતો.
અમદાવાદ શહેરના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે ગૌહત્યાના વિરોધમાં ગૌભક્ત ચૈતન્યશંભુ મહારાજ 48 કલાકના પ્રતીક ઉપવાસ પર બેઠા છે, ત્યારે ઉપવાસના સ્થળે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. ઉપવાસ સ્થળે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. જેમાં કોંગ્રેસના શહેર પ્રમુખ ચેતન રાવલ અને પૂર્વ મેયર અમિત શાહ વચ્ચે મારામારી થઇ હતી. આ ઘટનામાં કોંગ્રેસના શહેર પ્રમુખનો શર્ટ ફાટી ગયો હતો.