જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસે મુળુભાઈ કંડોરિયાને ટીકીટ આપી છે. તેઓએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતી વખતે ૩૩.૩૦ કરોડની મિલકત જાહેર કરી છે. બી.એ સુધી અભ્યાસ કર્યો છે.
કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરીયા છેલ્લા ચાર ટર્મથી જીલ્લા પંચાયતના સભ્ય તરીકે ચુંટાતા આવ્યા છે. આહીર સમાજ સહિત તમામ જ્ઞાતિમાં લોકચાહના ધરાવે છે. ગત ચૂંટણીમાં તેમનુ નામ દ્વારકા વિધાનસભા બેઠક પર નક્કી હતુ પરંતુ વિક્રમભાઈ માડમને ખંભાળીયામા ટીકીટ મળતા ખંભાળીયાના કોંગી ધારાસભ્યને દ્વારકા બેઠક પરથી લડાવાતા તેઓ ચૂંટણી લડયા ન હતા પરંતુ કોંગ્રેસ માટે પ્રમાણિકપણે કામગીરી બજાવી હતી. મુળુભાઈ કંડોરીયા ગર્ભશ્રીમંત વ્યકિત છે. ઉપરાંત તાલાળાના ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડના વેવાઈ થાય છે. જામનગર કોંગ્રેસને લોકસભા બેઠક માટે સર્વસંમત ઉમેદવાર મળી રહ્યા છે ત્યારે હવે આ બેઠક ઉપર રસાકસીભર્યો જંગ જામશે.
જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસે મુળુભાઈ કંડોરિયાને ટીકીટ આપી છે. તેઓએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતી વખતે ૩૩.૩૦ કરોડની મિલકત જાહેર કરી છે. બી.એ સુધી અભ્યાસ કર્યો છે.
કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરીયા છેલ્લા ચાર ટર્મથી જીલ્લા પંચાયતના સભ્ય તરીકે ચુંટાતા આવ્યા છે. આહીર સમાજ સહિત તમામ જ્ઞાતિમાં લોકચાહના ધરાવે છે. ગત ચૂંટણીમાં તેમનુ નામ દ્વારકા વિધાનસભા બેઠક પર નક્કી હતુ પરંતુ વિક્રમભાઈ માડમને ખંભાળીયામા ટીકીટ મળતા ખંભાળીયાના કોંગી ધારાસભ્યને દ્વારકા બેઠક પરથી લડાવાતા તેઓ ચૂંટણી લડયા ન હતા પરંતુ કોંગ્રેસ માટે પ્રમાણિકપણે કામગીરી બજાવી હતી. મુળુભાઈ કંડોરીયા ગર્ભશ્રીમંત વ્યકિત છે. ઉપરાંત તાલાળાના ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડના વેવાઈ થાય છે. જામનગર કોંગ્રેસને લોકસભા બેઠક માટે સર્વસંમત ઉમેદવાર મળી રહ્યા છે ત્યારે હવે આ બેઠક ઉપર રસાકસીભર્યો જંગ જામશે.