-
લોકસભા ચૂંટણીઓ બારણે ટકોર મારી રહી છે ત્યારે કોંગ્રેસે રાફેલ વિમાન સોદાની કેટલાક વિગતો જાહેર કરીને માંગણી કરી છે કે દેશનો ચોકીદાર અને તેના કેટલાક સાથીઓ ચોર છે, રાફેલ સોદામાં ભ્રષ્ટાચાર થયો જ છે. ચોકીદારે જ દેશની તિજોરી લૂંટાવી દીધી છે તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના આ ષડયંત્રમાં સામેલ તમામ લોકો સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ-1988ની કલમ 13(1)(d) અને ભારતીય ફોજદારી ધારા હેઠળ ગુનો નોંધીને તેમની સામે કામ ચલાવવાની માંગણી કરી છે. કોંગ્રેસે રાફેલ સોદા માટે નિમાયેલી ઇન્ડિયન નેગોશિએસન ટીમ-આઇએનટી-નો અહેવાલ ટાંકીને સિલસિલાબંધ આંકડાકિય માહિતી જાહેર કરી છે. જેમાં આ ટીમ દ્વારા મોદી સરકારમાં જે કિંમત 36 રાફેલ વિમાનની નક્કી કરવામાં આવી તે કોંગ્રેસની યુપીએ સરકારે 126 વિમાનોની કુલ કિંમત કરતાં વધારે છે. જેમ કે ટીમના કહેવા પ્રમાણે, 36 રાફેલ વિમાનની કિંમત 8,460 મિલિયન યુરો એટલે કે 1 યુરો બરાબર 75 રૂપિયા ગણીએ તો 8,460 મિલિયન યુરો એટલે 63450 કરોડ રૂપિયા થાય છે. જ્યારે મોદી સરકારે એમ જાહેર કર્યું કે 7,890 મિલિયન યુરો એટલે કે 59175 કરોડ રૂપિયાની કિંમતે 36 વિમાનો ખરીદવામાં આવ્યાં છે. આ ઉપરાંત ફ્રાન્સની ડસોલ્ટ કંપની પાસેથી જે વિમાનો ખરીદવામાં આવ્યાં તેમાં મોદી સરકારે કોઇ બેંક ગેરંટી લીધી નથી. કોંગ્રેસ સરકારે574 મિલિયન યુરો એટલે કે 4305 કરોડની બેંક ગેરંટી માંગી હતી અને કિંમતમાં સામેલ હતી. પરંતુ મોદી સરકારે બેંક ગેરંટી જતી કરીને ડસોલ્ટ કંપનીને 4305 કરોડનો અયોગ્ય લાભ શા માટે કરાવ્યો એવો સવાલ પણ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસ વધુમાં દાવો કર્યો કે મોદી સરકારે કરેલા સોદામાં ટ્રાન્સફર ઓફ ટેકનોલોજીનો સમાવેશ કરાયો નથી.
-
લોકસભા ચૂંટણીઓ બારણે ટકોર મારી રહી છે ત્યારે કોંગ્રેસે રાફેલ વિમાન સોદાની કેટલાક વિગતો જાહેર કરીને માંગણી કરી છે કે દેશનો ચોકીદાર અને તેના કેટલાક સાથીઓ ચોર છે, રાફેલ સોદામાં ભ્રષ્ટાચાર થયો જ છે. ચોકીદારે જ દેશની તિજોરી લૂંટાવી દીધી છે તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના આ ષડયંત્રમાં સામેલ તમામ લોકો સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ-1988ની કલમ 13(1)(d) અને ભારતીય ફોજદારી ધારા હેઠળ ગુનો નોંધીને તેમની સામે કામ ચલાવવાની માંગણી કરી છે. કોંગ્રેસે રાફેલ સોદા માટે નિમાયેલી ઇન્ડિયન નેગોશિએસન ટીમ-આઇએનટી-નો અહેવાલ ટાંકીને સિલસિલાબંધ આંકડાકિય માહિતી જાહેર કરી છે. જેમાં આ ટીમ દ્વારા મોદી સરકારમાં જે કિંમત 36 રાફેલ વિમાનની નક્કી કરવામાં આવી તે કોંગ્રેસની યુપીએ સરકારે 126 વિમાનોની કુલ કિંમત કરતાં વધારે છે. જેમ કે ટીમના કહેવા પ્રમાણે, 36 રાફેલ વિમાનની કિંમત 8,460 મિલિયન યુરો એટલે કે 1 યુરો બરાબર 75 રૂપિયા ગણીએ તો 8,460 મિલિયન યુરો એટલે 63450 કરોડ રૂપિયા થાય છે. જ્યારે મોદી સરકારે એમ જાહેર કર્યું કે 7,890 મિલિયન યુરો એટલે કે 59175 કરોડ રૂપિયાની કિંમતે 36 વિમાનો ખરીદવામાં આવ્યાં છે. આ ઉપરાંત ફ્રાન્સની ડસોલ્ટ કંપની પાસેથી જે વિમાનો ખરીદવામાં આવ્યાં તેમાં મોદી સરકારે કોઇ બેંક ગેરંટી લીધી નથી. કોંગ્રેસ સરકારે574 મિલિયન યુરો એટલે કે 4305 કરોડની બેંક ગેરંટી માંગી હતી અને કિંમતમાં સામેલ હતી. પરંતુ મોદી સરકારે બેંક ગેરંટી જતી કરીને ડસોલ્ટ કંપનીને 4305 કરોડનો અયોગ્ય લાભ શા માટે કરાવ્યો એવો સવાલ પણ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસ વધુમાં દાવો કર્યો કે મોદી સરકારે કરેલા સોદામાં ટ્રાન્સફર ઓફ ટેકનોલોજીનો સમાવેશ કરાયો નથી.