સુરતમાં કોંગ્રેસે પાટીદાર કાર્ડ ખેલ્યું છે. સુરત લોકસભા બેઠક માટે કોંગ્રેસે પાટીદાર સમાજ પર ભરોસો મૂકયો છે. યુવા ચહેરા તરીકે અશોક સાંસપરા(આધેવાડા)ને ટીકીટ આપી છે. ભાજપને પડકાર ફેંકયો છે. અશોક સાંસપરા પાછલી બે ટર્મથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી તરીકે કાર્યરત છે. આ ઉપરાંત યુવક કોંગ્રેસ સાથે ઘનિષ્ટ સંપર્ક અને સંગઠન ધરાવે છે. મૂળ ભાવનગરના આધેવાડા ગામના વતની એવા ૪૫ વર્ષીય અશોક સાસપરા પાટીદાર સમાજ માટે નવો અને બિનવિવાદિત ચહેરો છે.
કોંગ્રેસના ઉમેદવાર અશોક અધેવાડા રિઅલ એસ્ટેટ અને કન્સટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. એવું કહેવાય છે ભાવનગરના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કોંગ્રેસમાં ટીકીટનો દાવો કર્યો હતો. કોંગ્રેસ વર્તુળો મુજબ કોંગ્રેસમાં બિનવિવાદિત વ્યકિત તરીકે ગણના થાય છે. તેઓ મુસ્લિમ ઉપરાંત દલિત અને અન્ય સમાજોમાં પણ સારી એવી પકડ જોવા મળે છે
કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેઓ ફોર્મ ભરતી વખતે અશોક અધેવાડાએ ફોર્મ ભરતી વખતે ૧.૪૧ કરોડને સંપતિ જાહેર કરી છે અને ધોરણ-૯ સુધી અભ્યાસ કરેલ છે.
સુરતમાં કોંગ્રેસે પાટીદાર કાર્ડ ખેલ્યું છે. સુરત લોકસભા બેઠક માટે કોંગ્રેસે પાટીદાર સમાજ પર ભરોસો મૂકયો છે. યુવા ચહેરા તરીકે અશોક સાંસપરા(આધેવાડા)ને ટીકીટ આપી છે. ભાજપને પડકાર ફેંકયો છે. અશોક સાંસપરા પાછલી બે ટર્મથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી તરીકે કાર્યરત છે. આ ઉપરાંત યુવક કોંગ્રેસ સાથે ઘનિષ્ટ સંપર્ક અને સંગઠન ધરાવે છે. મૂળ ભાવનગરના આધેવાડા ગામના વતની એવા ૪૫ વર્ષીય અશોક સાસપરા પાટીદાર સમાજ માટે નવો અને બિનવિવાદિત ચહેરો છે.
કોંગ્રેસના ઉમેદવાર અશોક અધેવાડા રિઅલ એસ્ટેટ અને કન્સટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. એવું કહેવાય છે ભાવનગરના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કોંગ્રેસમાં ટીકીટનો દાવો કર્યો હતો. કોંગ્રેસ વર્તુળો મુજબ કોંગ્રેસમાં બિનવિવાદિત વ્યકિત તરીકે ગણના થાય છે. તેઓ મુસ્લિમ ઉપરાંત દલિત અને અન્ય સમાજોમાં પણ સારી એવી પકડ જોવા મળે છે
કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેઓ ફોર્મ ભરતી વખતે અશોક અધેવાડાએ ફોર્મ ભરતી વખતે ૧.૪૧ કરોડને સંપતિ જાહેર કરી છે અને ધોરણ-૯ સુધી અભ્યાસ કરેલ છે.