ગોવામાં કોંગ્રેસના સરકાર રચવાના દાવાની સાથે જ રાજ્યની પારિકર સરકાર પર સંકટના વાદળો સર્જાયા છે. કોંગ્રેસે રાજ્યપાલ મૃદુલા સિંહને પત્ર લખીને સરકાર રચવાનો દાવો કર્યો છે. વિધાનસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસી ધારાસભ્ય ચંદ્રકાંત કાવલેકરે રાજ્યપાલને પાઠવેલા પત્રમાં મનોહર પારિકર સરકારને બરખાસ્ત કરવાની માગ કરતાં કહ્યું કે પારિકર સરકાર પાસે બહુમતી નથી. રાજ્યમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી હોવાને નાતે કોંગ્રેસને સરકાર રચવાની તક મળવી જોઈએ. કાવલેકરે લખ્યું કે ગોવા સરકાર લઘુમતીમાં છે અને તેથી કોંગ્રેસને સરકાર રચવાની તક મળવી જોઈએ. ધારાસભ્ય ફ્રાન્સિસ ડિસોઝાનું અવસાન થતા પારિકર સરકાર બહુમતી ગુમાવી દીધી છે. જો ગોવામા રાષ્ટ્રપતિ શાસનનો પ્રયાસ થયો તો તે ગેરકાયદેસર ગણાશે. ૪૦ સભ્યોવાળી ગોવા વિધાનસભામાં ભાજપની પાસે ૧૩ તો કોંગ્રેસ પાસે ૧૪ ધારાસભ્યો છે. તાજેતરમાં ધારાસભ્ય અને ઉપમુખ્યમંત્રી ફ્રાન્સિસ ડિસોઝાનું અવસાન થતાં ભાજપનું સંખ્યાબળ ૧૪ થી ઘટીને ૧૩ થઈ ગયું હતું. આ અગાઉ પણ કોંગ્રેસ કહી ચૂકી છે કે મુખ્યમંત્રી પારિકર ગંભીર રીતે બીમાર છે તેથી બીજા કોઈને મુખ્યમંત્રી બનાવવામાં આવે અથવા તો કોંગ્રેસને તક આપવામા આવે.
ગોવામાં કોંગ્રેસના સરકાર રચવાના દાવાની સાથે જ રાજ્યની પારિકર સરકાર પર સંકટના વાદળો સર્જાયા છે. કોંગ્રેસે રાજ્યપાલ મૃદુલા સિંહને પત્ર લખીને સરકાર રચવાનો દાવો કર્યો છે. વિધાનસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસી ધારાસભ્ય ચંદ્રકાંત કાવલેકરે રાજ્યપાલને પાઠવેલા પત્રમાં મનોહર પારિકર સરકારને બરખાસ્ત કરવાની માગ કરતાં કહ્યું કે પારિકર સરકાર પાસે બહુમતી નથી. રાજ્યમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી હોવાને નાતે કોંગ્રેસને સરકાર રચવાની તક મળવી જોઈએ. કાવલેકરે લખ્યું કે ગોવા સરકાર લઘુમતીમાં છે અને તેથી કોંગ્રેસને સરકાર રચવાની તક મળવી જોઈએ. ધારાસભ્ય ફ્રાન્સિસ ડિસોઝાનું અવસાન થતા પારિકર સરકાર બહુમતી ગુમાવી દીધી છે. જો ગોવામા રાષ્ટ્રપતિ શાસનનો પ્રયાસ થયો તો તે ગેરકાયદેસર ગણાશે. ૪૦ સભ્યોવાળી ગોવા વિધાનસભામાં ભાજપની પાસે ૧૩ તો કોંગ્રેસ પાસે ૧૪ ધારાસભ્યો છે. તાજેતરમાં ધારાસભ્ય અને ઉપમુખ્યમંત્રી ફ્રાન્સિસ ડિસોઝાનું અવસાન થતાં ભાજપનું સંખ્યાબળ ૧૪ થી ઘટીને ૧૩ થઈ ગયું હતું. આ અગાઉ પણ કોંગ્રેસ કહી ચૂકી છે કે મુખ્યમંત્રી પારિકર ગંભીર રીતે બીમાર છે તેથી બીજા કોઈને મુખ્યમંત્રી બનાવવામાં આવે અથવા તો કોંગ્રેસને તક આપવામા આવે.