-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં જેમ પોતાની ચૂંટણી નૈયા પાર લગાવવા ગંગા જમુના તહજીબનો રસ્તો અપનાવીને ગંગા મૈયાનો સહારો લઇને વારાણસીથી ઉમેદવારી નોંધાવી તેમ કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ પણ ગંગા મૈયાનો સહારો લઇને હોડીમાં બેસીને આજથી 3-4 દિવસ માટે અનોખી ચૂંટણી પ્રચાર જલ યાત્રા આરંભી છે. જેમાં તેઓ યુપીના પ્રયાગરાજથી ગંગા નદીમાં પ્રવાસ કરીને વારાણસીના પ્રખ્યાત અસ્સીઘાટ પહોંચશે. રસ્તામાં આવતાં ગામડાઓ અને શહેરોમાં જઇને પ્રચાર કરીને ભાજપને હરાવવા અપીલ કરશે. ચૂંટણીલક્ષી જળ યાત્રા શરૂ કરતાં પહેલા પ્રિયંકા ગાંધીએ ગંમગા નદીની પૂજા અર્ચના કરીને આશિર્વાદ માંગ્યા હતા. હળવાશથી કહીએ તો કોંગ્રેસના નેતા પ્રિયંકાએ ચૂંટણીમાં કોંગ્રેસની નૈયા પાર ઉતરે અને તેમનવા ભાઇ રાહુલ ગાંધી વડાપ્રધાન બને અને સાથે સાથે તેમના પતિ રોબર્ટ વાડરા ભ્રષ્ટાચારના કેસમાંથી છૂટી જાય તો ભયો ભયો..કેમ કે કોંગ્રેસનો એવો આરોપ છે કે મોદી સરકારે રોબર્ટ વાડરાને ગાંધી પરિવારને હેરાન કરવા માટે ખોટા કેસોમાં ફસાવ્યાં છે.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં જેમ પોતાની ચૂંટણી નૈયા પાર લગાવવા ગંગા જમુના તહજીબનો રસ્તો અપનાવીને ગંગા મૈયાનો સહારો લઇને વારાણસીથી ઉમેદવારી નોંધાવી તેમ કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ પણ ગંગા મૈયાનો સહારો લઇને હોડીમાં બેસીને આજથી 3-4 દિવસ માટે અનોખી ચૂંટણી પ્રચાર જલ યાત્રા આરંભી છે. જેમાં તેઓ યુપીના પ્રયાગરાજથી ગંગા નદીમાં પ્રવાસ કરીને વારાણસીના પ્રખ્યાત અસ્સીઘાટ પહોંચશે. રસ્તામાં આવતાં ગામડાઓ અને શહેરોમાં જઇને પ્રચાર કરીને ભાજપને હરાવવા અપીલ કરશે. ચૂંટણીલક્ષી જળ યાત્રા શરૂ કરતાં પહેલા પ્રિયંકા ગાંધીએ ગંમગા નદીની પૂજા અર્ચના કરીને આશિર્વાદ માંગ્યા હતા. હળવાશથી કહીએ તો કોંગ્રેસના નેતા પ્રિયંકાએ ચૂંટણીમાં કોંગ્રેસની નૈયા પાર ઉતરે અને તેમનવા ભાઇ રાહુલ ગાંધી વડાપ્રધાન બને અને સાથે સાથે તેમના પતિ રોબર્ટ વાડરા ભ્રષ્ટાચારના કેસમાંથી છૂટી જાય તો ભયો ભયો..કેમ કે કોંગ્રેસનો એવો આરોપ છે કે મોદી સરકારે રોબર્ટ વાડરાને ગાંધી પરિવારને હેરાન કરવા માટે ખોટા કેસોમાં ફસાવ્યાં છે.