-
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ગોવામાં ભાજપના બિમાર મુખ્યમંત્રી મનોહર પરિર્કરની તેમના ચેમ્બરમાં અંગત મુલાકાત લઇને તેમની તબિયતના ખબરઅંતર પૂછ્યા હતા. મનોહર કેન્સરથી પિડાઇ રહ્યાં છે અને તેની સારવાર પણ ચાલી રહી છે. રાહુલે મુલાકાત બાદ ટ્વીટ કરીને તેની જાણકારી આપી હતી. નોંધનીય છે કે મનોહર સરકારના આરોગ્યમંત્રી વિશ્વજીત રાણેની એક ઓડિયો ટેપ એક મહિના પહેલા કોંગ્રેસે જાહેર કરી હતી. જેમાં મંત્રી રાણે કોએની સાથે ફોન પર વાતચીતમાં એમ કહી રહ્યાં સંભળાય છે કે મુખ્યમંત્રી મનોહરે બેઠકમાં એમ કહ્યું ભાજપ નેતાગીરી તેમનું કાંઇ બગાડી શકે તેમ નથી. કેમ કે તેમની પાસે રાફેલ સોદાની ફાઇલો છે અને તેમના બેડરૂમમાં પડેલી છે. આ ટેપના પગલો ભારે સનસનાટી મચી હતી. રાણેએ ટેપને નકલી કહી હતી. અને તપાસની માંગ કરી હતી. પરંતુ હજુ સુધી આ ઓડિયો ટેપ અંગે કોઇ પોલીસ તપાસ કે કોઇ ફોરેન્સિક તપાસ થઇ નથી. ગઇકાલે 28મીએ રાહુલે ફરીથી એ ટેપનો મુદ્દો ભાજપને યાદ કરાવીને હજુ સુધી કેમ તપાસ કરાવતા નથી એવો સવાલ કર્યો હતો અને આજે તેમણે એ જ મનોહરની મુલાકાત લીધી તેના પગલે વિવિધ અટકળો શરૂ થઇ છે. ભાજપ દ્વારા રાહુલ-મનોહરની મુલાકાત અંગે હજુ કોઇ ટીપ્પણી આવી નથી. રાહુલ હવે પછી રાફેલની વધુ સત્યની નજીકના દસ્તાવેજો જાહેર કરે તો તેનો સીધો મતલબ આ મુલાકાત સાથે જોવામાં આવી શકે.
-
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ગોવામાં ભાજપના બિમાર મુખ્યમંત્રી મનોહર પરિર્કરની તેમના ચેમ્બરમાં અંગત મુલાકાત લઇને તેમની તબિયતના ખબરઅંતર પૂછ્યા હતા. મનોહર કેન્સરથી પિડાઇ રહ્યાં છે અને તેની સારવાર પણ ચાલી રહી છે. રાહુલે મુલાકાત બાદ ટ્વીટ કરીને તેની જાણકારી આપી હતી. નોંધનીય છે કે મનોહર સરકારના આરોગ્યમંત્રી વિશ્વજીત રાણેની એક ઓડિયો ટેપ એક મહિના પહેલા કોંગ્રેસે જાહેર કરી હતી. જેમાં મંત્રી રાણે કોએની સાથે ફોન પર વાતચીતમાં એમ કહી રહ્યાં સંભળાય છે કે મુખ્યમંત્રી મનોહરે બેઠકમાં એમ કહ્યું ભાજપ નેતાગીરી તેમનું કાંઇ બગાડી શકે તેમ નથી. કેમ કે તેમની પાસે રાફેલ સોદાની ફાઇલો છે અને તેમના બેડરૂમમાં પડેલી છે. આ ટેપના પગલો ભારે સનસનાટી મચી હતી. રાણેએ ટેપને નકલી કહી હતી. અને તપાસની માંગ કરી હતી. પરંતુ હજુ સુધી આ ઓડિયો ટેપ અંગે કોઇ પોલીસ તપાસ કે કોઇ ફોરેન્સિક તપાસ થઇ નથી. ગઇકાલે 28મીએ રાહુલે ફરીથી એ ટેપનો મુદ્દો ભાજપને યાદ કરાવીને હજુ સુધી કેમ તપાસ કરાવતા નથી એવો સવાલ કર્યો હતો અને આજે તેમણે એ જ મનોહરની મુલાકાત લીધી તેના પગલે વિવિધ અટકળો શરૂ થઇ છે. ભાજપ દ્વારા રાહુલ-મનોહરની મુલાકાત અંગે હજુ કોઇ ટીપ્પણી આવી નથી. રાહુલ હવે પછી રાફેલની વધુ સત્યની નજીકના દસ્તાવેજો જાહેર કરે તો તેનો સીધો મતલબ આ મુલાકાત સાથે જોવામાં આવી શકે.