વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી ચૂંટણીપ્રચાર અંતર્ગત રવિવારે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. જમ્મુના વિજયપુર ખાતે જનસભાને સંબોધિત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યત્વે ખેડૂતની સમસ્યાઓ માટે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના ખેડૂત લોનમાફીનાં વચનોની ટીકા કરતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ ખેડૂત દેવાંમાફીનો ઉપયોગ ફક્ત ચૂંટણી જીતવા કરે છે. પોતાની સરકારનાં વચગાળાનાં બજેટમાં સીમાંત ખેડૂતને વાર્ષિક રૂપિયા ૬,૦૦૦ની સહાય આપવાનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે દરેક નાગરિક માટે જનધન બેન્કખાતાં ખોલવાનો પ્રારંભ કર્યો ત્યારે વિપક્ષ સરકારની મજાક ઉડાવતો હતો પરંતુ હવે તેમને ખબર પડી કે જનધન બેન્કખાતાઓનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે. સીમાંત ખેડૂતોનાં બેન્કખાતામાં રૂપિયા ૬,૦૦૦ ૩ હપ્તામાં જમા કરાવાશે. આ રીતે દર વર્ષે ખેડૂતોનાં ખાતામાં રૂપિયા ૭૫,૦૦૦ કરોડ જમા થશે, તેમાં કોઈ વચેટિયા કે દલાલો હશે નહીં, તેને કારણે સરકાર તરફથી કોઈ મદદ ન મળી હોય તેવા કરોડો ખેડૂતોને લાભ થશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી ચૂંટણીપ્રચાર અંતર્ગત રવિવારે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. જમ્મુના વિજયપુર ખાતે જનસભાને સંબોધિત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યત્વે ખેડૂતની સમસ્યાઓ માટે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના ખેડૂત લોનમાફીનાં વચનોની ટીકા કરતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ ખેડૂત દેવાંમાફીનો ઉપયોગ ફક્ત ચૂંટણી જીતવા કરે છે. પોતાની સરકારનાં વચગાળાનાં બજેટમાં સીમાંત ખેડૂતને વાર્ષિક રૂપિયા ૬,૦૦૦ની સહાય આપવાનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે દરેક નાગરિક માટે જનધન બેન્કખાતાં ખોલવાનો પ્રારંભ કર્યો ત્યારે વિપક્ષ સરકારની મજાક ઉડાવતો હતો પરંતુ હવે તેમને ખબર પડી કે જનધન બેન્કખાતાઓનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે. સીમાંત ખેડૂતોનાં બેન્કખાતામાં રૂપિયા ૬,૦૦૦ ૩ હપ્તામાં જમા કરાવાશે. આ રીતે દર વર્ષે ખેડૂતોનાં ખાતામાં રૂપિયા ૭૫,૦૦૦ કરોડ જમા થશે, તેમાં કોઈ વચેટિયા કે દલાલો હશે નહીં, તેને કારણે સરકાર તરફથી કોઈ મદદ ન મળી હોય તેવા કરોડો ખેડૂતોને લાભ થશે.