વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ દેશમાં કોરોનાની સ્થિતિ અને રસી તૈયાર થવાના સમય અંગે ચર્ચા માટે શુક્રવારે સર્વપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ચ્યુઅલ બેઠકમાં વડા પ્રધાને તમામ પક્ષોના નેતાઓને દેશની વાસ્તવિક સ્થિતિ અંગે માહિતગાર કર્યા હતા. આ દરમિયાન વડા પ્રધાને જણાવ્યું હતું કે, ભારત માટે સ્વદેશી રસીનું સપનું સાકાર થવાની ઘટના હવે હાથવેંતમાં છે. આગામી થોડાં અઠવાડિયામાં ભારતમાં વિકસાવેલી રસી આવી શકે. સંશોધકો અતૂટ મહેનત કરી રહ્યા છે અને લગભગ બધું અંતિમ તબક્કામાં છે. ટૂંક સમયમાં દેશવાસીઓને રસી મુદ્દે સારા સમાચાર મળશે. તેમણે એમ પણ જણાવ્યું કે, સરકારે લોકો સુધી રસી પહોંચાડવા અને રસીકરણ અંગે મોટાપાયે કામગીરી શરૂ કરી છે. આ મુદ્દે કેન્દ્રની સમિતિ અને રાજ્યો વચ્ચે વિચારણા ચાલી રહી છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ દેશમાં કોરોનાની સ્થિતિ અને રસી તૈયાર થવાના સમય અંગે ચર્ચા માટે શુક્રવારે સર્વપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ચ્યુઅલ બેઠકમાં વડા પ્રધાને તમામ પક્ષોના નેતાઓને દેશની વાસ્તવિક સ્થિતિ અંગે માહિતગાર કર્યા હતા. આ દરમિયાન વડા પ્રધાને જણાવ્યું હતું કે, ભારત માટે સ્વદેશી રસીનું સપનું સાકાર થવાની ઘટના હવે હાથવેંતમાં છે. આગામી થોડાં અઠવાડિયામાં ભારતમાં વિકસાવેલી રસી આવી શકે. સંશોધકો અતૂટ મહેનત કરી રહ્યા છે અને લગભગ બધું અંતિમ તબક્કામાં છે. ટૂંક સમયમાં દેશવાસીઓને રસી મુદ્દે સારા સમાચાર મળશે. તેમણે એમ પણ જણાવ્યું કે, સરકારે લોકો સુધી રસી પહોંચાડવા અને રસીકરણ અંગે મોટાપાયે કામગીરી શરૂ કરી છે. આ મુદ્દે કેન્દ્રની સમિતિ અને રાજ્યો વચ્ચે વિચારણા ચાલી રહી છે