દેશમાં કોરોના સંક્રમણના આંકડામાં મોટો ઘટાડો નોંધાયો છે. અનેક દિવસો બાદ મંગળવારે જાહેર થયેલા આંકડો 40 હજારની નીચે નોંધાયો છે જે એક આશાનું કિરણ સમાન છે. નોંધનીય છે કે 101 દિવસ બાદ આટલો ઓછો આંકડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 36,469 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 488 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 79,46,429 થઈ ગઈ છે.
આ ઉપરાંત, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 72 લાખ 1 હજાર 70 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 6,25,857 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,19,502 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
દેશમાં કોરોના સંક્રમણના આંકડામાં મોટો ઘટાડો નોંધાયો છે. અનેક દિવસો બાદ મંગળવારે જાહેર થયેલા આંકડો 40 હજારની નીચે નોંધાયો છે જે એક આશાનું કિરણ સમાન છે. નોંધનીય છે કે 101 દિવસ બાદ આટલો ઓછો આંકડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 36,469 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 488 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 79,46,429 થઈ ગઈ છે.
આ ઉપરાંત, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 72 લાખ 1 હજાર 70 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 6,25,857 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,19,502 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.