ભારતમાં કોવિડ-19થી સંક્રમિત થયેલા લોકોના આંકડામાં મંગળવારે મોટો ઘટાડો નોંધાયો છે. નવા કેસોની સંખ્યા આજે ઘટીને 75 હજાર નોંધાઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 75,083 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1,053 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 55, 62,664 થઈ ગઈ છે.
નોંધનીય છે કે, દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 44 લાખ 97 હજાર 868 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,75,861 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 88,935 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 21 સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કુલ 6,53,25,779 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના 24 કલાકમાં 9,33,185 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ભારતમાં કોવિડ-19થી સંક્રમિત થયેલા લોકોના આંકડામાં મંગળવારે મોટો ઘટાડો નોંધાયો છે. નવા કેસોની સંખ્યા આજે ઘટીને 75 હજાર નોંધાઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 75,083 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1,053 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 55, 62,664 થઈ ગઈ છે.
નોંધનીય છે કે, દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 44 લાખ 97 હજાર 868 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,75,861 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 88,935 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 21 સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કુલ 6,53,25,779 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના 24 કલાકમાં 9,33,185 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.