ભારતમાં કોવિડ-19નું સંકટ વધુ વિકરાળ બનતું હોય તેવું લાગી રહ્યું છે. રોજ સવારે જાહેર થતાં રાષ્ટ્રીય આંકડાઓથી તે સાબિત થાય છે કે કોરોના સામેની લડત ભારતમાં હજુ ઘણી લાંબી ચાલી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 96,424 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસ (Coronavirus)ના કારણે 1,174 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 52,14,678 થઈ ગઈ છે.
નોંધનીય છે કે, દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 41 લાખ 12 હજાર 552 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 10,17,754 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 84,372 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ભારતમાં કોવિડ-19નું સંકટ વધુ વિકરાળ બનતું હોય તેવું લાગી રહ્યું છે. રોજ સવારે જાહેર થતાં રાષ્ટ્રીય આંકડાઓથી તે સાબિત થાય છે કે કોરોના સામેની લડત ભારતમાં હજુ ઘણી લાંબી ચાલી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 96,424 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસ (Coronavirus)ના કારણે 1,174 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 52,14,678 થઈ ગઈ છે.
નોંધનીય છે કે, દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 41 લાખ 12 હજાર 552 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 10,17,754 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 84,372 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.