અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટના લોકો માટે મોટા સમાચાર આવ્યા છે. રાજ્યના મહાનગરોમાં 3 મે સુધી દુકાનો ચાલુ નહીં થાય. CMO સચિવ અશ્વિનીકુમારે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી કે, અમદાવાદ, સુરત, વડોદરા, સુરતમાં દુકાનો નહીં ખુલે. મહાનગરોમાં 3 મે સુધી લગાવેલા પ્રતિબંધો યથાવત છે. માત્ર જીવન જરૂરિયાતની દુકાનો મહાનગરોમાં ચાલુ રહેશે. સ્થાનિક વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય લેવાયો છે.
અશ્વિનીકુમારે જણાવ્યું કે, આ ત્રણ મહાનગરોમાં 3 મે સુધી દુકાનો ચાલુ કરવાની મંજૂરી નથી. પબ્લિક ટ્રાન્સપોર્ટ, બ્યૂટી પાર્લર્સ અને પાનમસાલાની દુકાનોને પણ મંજૂરી આપવામાં આવી નથી.
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટના લોકો માટે મોટા સમાચાર આવ્યા છે. રાજ્યના મહાનગરોમાં 3 મે સુધી દુકાનો ચાલુ નહીં થાય. CMO સચિવ અશ્વિનીકુમારે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી કે, અમદાવાદ, સુરત, વડોદરા, સુરતમાં દુકાનો નહીં ખુલે. મહાનગરોમાં 3 મે સુધી લગાવેલા પ્રતિબંધો યથાવત છે. માત્ર જીવન જરૂરિયાતની દુકાનો મહાનગરોમાં ચાલુ રહેશે. સ્થાનિક વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય લેવાયો છે.
અશ્વિનીકુમારે જણાવ્યું કે, આ ત્રણ મહાનગરોમાં 3 મે સુધી દુકાનો ચાલુ કરવાની મંજૂરી નથી. પબ્લિક ટ્રાન્સપોર્ટ, બ્યૂટી પાર્લર્સ અને પાનમસાલાની દુકાનોને પણ મંજૂરી આપવામાં આવી નથી.