Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દર વર્ષે પરંપરાગત રીતે અષાઢી બીજની પરંપરાગત રથયાત્રા પૂર્વે અક્ષય તૃતીયાનાં દિવસે ભગવાન જગન્નાથજીનાં મંદિર ખાતે ‘ચંદન યાત્રા’ અને રથપૂજન કરવામાં આવતું હોય છે. જોકે, આ વર્ષે કોરોના મહામારીના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવેલું છે ત્યારે આ ચંદન યાત્રા કે રથ પૂજનમાં નગરજનો કે શ્રદ્ધાળુઓ ભાગ લઈ શકે નહીં.

આ અંગે વિગતો આપતાં જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું કે આ વર્ષે લોકડાઉનને કારણે 26મી એપ્રિલના રોજ રથયાત્રાનો પ્રથમ પ્રસંગ એવા રથપૂજનનાં કાર્યક્રમમાં નગરજનો ભાગ નહીં લે. જોકે, લોકડાઉનને પગલે માત્ર મંદિરના મહંત પૂજ્ય દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી જ હાજર રહેશે. જેમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને રથ પૂજનને પ્રતીકાત્મક રીતે કરવામાં આવશે.

દર વર્ષે પરંપરાગત રીતે અષાઢી બીજની પરંપરાગત રથયાત્રા પૂર્વે અક્ષય તૃતીયાનાં દિવસે ભગવાન જગન્નાથજીનાં મંદિર ખાતે ‘ચંદન યાત્રા’ અને રથપૂજન કરવામાં આવતું હોય છે. જોકે, આ વર્ષે કોરોના મહામારીના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવેલું છે ત્યારે આ ચંદન યાત્રા કે રથ પૂજનમાં નગરજનો કે શ્રદ્ધાળુઓ ભાગ લઈ શકે નહીં.

આ અંગે વિગતો આપતાં જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું કે આ વર્ષે લોકડાઉનને કારણે 26મી એપ્રિલના રોજ રથયાત્રાનો પ્રથમ પ્રસંગ એવા રથપૂજનનાં કાર્યક્રમમાં નગરજનો ભાગ નહીં લે. જોકે, લોકડાઉનને પગલે માત્ર મંદિરના મહંત પૂજ્ય દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી જ હાજર રહેશે. જેમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને રથ પૂજનને પ્રતીકાત્મક રીતે કરવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ