-
સીબીઆઇમાં સર્જાયેલા ધમાસાણનો મામલો કોર્ટમાં પહોંચ્યો છે ત્યારે આજે સુનાવણી નિકળી ત્યારે ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએની બેંચે સૌથી પહેલાં તો કેન્દ્ર સરકારને આંચકો આપીને સરકારે રાતોરાત પોલીસ કાફલા સાથે સીબીઆઇમાં મૂકેલા વડા એમ. નાગેશ્વરરાવની સત્તારૂપી પાંખો કાપીને કહ્યું કે રાવ સીબીઆઇમાં કોઇ નીતિગત નિર્ણયો લેશે નહીં...! કેન્દ્રીય તકેદારી આયોગ(સીવીસી)ને કહ્યું કે સરકારે જેમને અડધી રાત્રે રજા પર ઉતાર્યા તે અરજદાર આલોક વર્મા(સીબીઆઇ ચીફ) સામેની ચાલી રહેલી તપાસ સીવીસી બે સપ્તાહમાં પૂરી કરે અને તે પણ સુપ્રિમના નિવૃત જજ એ. કે. પટનાયકની નિગરાનીમાં... એટલુ જ નહીં રાવે 23મીની રાતે ચાર્જ સંભાળ્યો ત્યારથી લઇને અત્યાર સુધી જે કાંઇ નિર્ણયો લીધા છે તેની યાદી બંધ કવરમાં કોર્ટને આપે. કોર્ટે દિવાળી બાદ 12મી નવે.ના રોજ સુનાવણી રાખીને વર્માને શા માટે એકાએક રજા પર ઉતારી દેવાયા તેના કારણો દર્શાવવા કેન્દ્ર સરકાર અને સીવીસીને નોટીસો પાઠવી છે.
-
સીબીઆઇમાં સર્જાયેલા ધમાસાણનો મામલો કોર્ટમાં પહોંચ્યો છે ત્યારે આજે સુનાવણી નિકળી ત્યારે ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએની બેંચે સૌથી પહેલાં તો કેન્દ્ર સરકારને આંચકો આપીને સરકારે રાતોરાત પોલીસ કાફલા સાથે સીબીઆઇમાં મૂકેલા વડા એમ. નાગેશ્વરરાવની સત્તારૂપી પાંખો કાપીને કહ્યું કે રાવ સીબીઆઇમાં કોઇ નીતિગત નિર્ણયો લેશે નહીં...! કેન્દ્રીય તકેદારી આયોગ(સીવીસી)ને કહ્યું કે સરકારે જેમને અડધી રાત્રે રજા પર ઉતાર્યા તે અરજદાર આલોક વર્મા(સીબીઆઇ ચીફ) સામેની ચાલી રહેલી તપાસ સીવીસી બે સપ્તાહમાં પૂરી કરે અને તે પણ સુપ્રિમના નિવૃત જજ એ. કે. પટનાયકની નિગરાનીમાં... એટલુ જ નહીં રાવે 23મીની રાતે ચાર્જ સંભાળ્યો ત્યારથી લઇને અત્યાર સુધી જે કાંઇ નિર્ણયો લીધા છે તેની યાદી બંધ કવરમાં કોર્ટને આપે. કોર્ટે દિવાળી બાદ 12મી નવે.ના રોજ સુનાવણી રાખીને વર્માને શા માટે એકાએક રજા પર ઉતારી દેવાયા તેના કારણો દર્શાવવા કેન્દ્ર સરકાર અને સીવીસીને નોટીસો પાઠવી છે.