ભારત-બાંગ્લાગેશની સીમા પર ગાય સંરક્ષણ અને પશુઓની તસ્કરીને લઈને સરકારે સુપ્રિમ કોર્ટમાં રિપોર્ટ સોંપી છે. કેન્દ્રએ શીર્ષ અદાલતને જણાવ્યું કે, સંયુક્ત સચિવ, ગૃહ મંત્રાલયની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરવામાં આવ્યું. સમિતિએ આ મુદ્દે કેટલાક સજેશન્સ આપ્યા છે. આ સૂચનોમાં ગાય માટે યુનિક આઈડેન્ટીટી નંબર (UID) ની પણ માંગ કરી છે.