ગુજરાતના ખેડૂતોને એક તરફ પાક વીમાના ક્લેઈમના નાણાં મળી રહ્યા નથી ત્યારે બીજી તરફ પાક વીમાની યોજનાનો લાભ લેવા ઇચ્છનારા તમામ ખેડૂતો માટે આધાર નંબર આપવો ફરજિયાત બનાવી દેવામાં આવ્યો છે. એપ્રિલ ૨૦૧૭થી ખરીફ પાક માટે કરવામાં આવતા ધિરાણની રકમમાંથી જ પાક વીમાના પ્રીમિયમની રકમ કાપી લેવામાં આવશે. સરકાર દ્વારા પાકની સબસિડીની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની વ્યવસ્થા હેઠળ ખેડૂતોના ખાતામાં સીધી જમા આપી શકાય તે માટે જ આધાર માગવામાં આવી રહ્યો છે.
ગુજરાતના ખેડૂતોને એક તરફ પાક વીમાના ક્લેઈમના નાણાં મળી રહ્યા નથી ત્યારે બીજી તરફ પાક વીમાની યોજનાનો લાભ લેવા ઇચ્છનારા તમામ ખેડૂતો માટે આધાર નંબર આપવો ફરજિયાત બનાવી દેવામાં આવ્યો છે. એપ્રિલ ૨૦૧૭થી ખરીફ પાક માટે કરવામાં આવતા ધિરાણની રકમમાંથી જ પાક વીમાના પ્રીમિયમની રકમ કાપી લેવામાં આવશે. સરકાર દ્વારા પાકની સબસિડીની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની વ્યવસ્થા હેઠળ ખેડૂતોના ખાતામાં સીધી જમા આપી શકાય તે માટે જ આધાર માગવામાં આવી રહ્યો છે.