સુકમામાં સીઆરપીએફના જવાનોની શહાદતનો બદલો લેવાઈ ગયો છે. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં રવિવારથી મંગળવાર સુધી ચાલેલા નક્સલ વિરોધી અભિયાનમાં 20 નક્સલીઓને મારવાનો દાવો સુરક્ષા અધિકારીઓએ કર્યો છે. કોબરા બટાલિયને 13-14મેની રાત્રે સુકમા અને વીજાપુરમાં ઓપરેશન ચલાવીને 15 નક્સલીઓને માર્યા છે. સીઆરપીએફના આઈજી વિવેકાનંદ સિન્હાએ જણાવ્યું કે, વીજાપુર જિલ્લામાં બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તારના રાયગુંડમના જંગલોમાં સુરક્ષાદળો અને નક્સલીઓની વચ્ચે અનેકવાર અથડામણ થઈ છે.
સુકમામાં સીઆરપીએફના જવાનોની શહાદતનો બદલો લેવાઈ ગયો છે. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં રવિવારથી મંગળવાર સુધી ચાલેલા નક્સલ વિરોધી અભિયાનમાં 20 નક્સલીઓને મારવાનો દાવો સુરક્ષા અધિકારીઓએ કર્યો છે. કોબરા બટાલિયને 13-14મેની રાત્રે સુકમા અને વીજાપુરમાં ઓપરેશન ચલાવીને 15 નક્સલીઓને માર્યા છે. સીઆરપીએફના આઈજી વિવેકાનંદ સિન્હાએ જણાવ્યું કે, વીજાપુર જિલ્લામાં બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તારના રાયગુંડમના જંગલોમાં સુરક્ષાદળો અને નક્સલીઓની વચ્ચે અનેકવાર અથડામણ થઈ છે.