દાહોદ જિલ્લામાં નકલી એન.એ. જમીન કૌભાંડ બાદ મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના (મનરેગા) માં કરવાના થતા કામોમાં ખોટા દસ્તાવેજો ઊભા કરી વર્ષ 2021 થી 2025 વચ્ચે ગેરરીતિ આચરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે ધાનપુર અને દેવગઢ બારીયાની મળીને 35 એજન્સીઓ સામે ગુનો દાખલ કર્યો છે. 35 પૈકી એક એજન્સી રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડની હતી. પોલીસે મનરેગામાં કૌભાંડ મામલે કાર્યવાહી કરતાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને તત્કાલીન TDO દર્શન પટેલની ધરપકડ કરી છે.
દાહોદ જિલ્લામાં નકલી એન.એ. જમીન કૌભાંડ બાદ મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના (મનરેગા) માં કરવાના થતા કામોમાં ખોટા દસ્તાવેજો ઊભા કરી વર્ષ 2021 થી 2025 વચ્ચે ગેરરીતિ આચરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે ધાનપુર અને દેવગઢ બારીયાની મળીને 35 એજન્સીઓ સામે ગુનો દાખલ કર્યો છે. 35 પૈકી એક એજન્સી રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડની હતી. પોલીસે મનરેગામાં કૌભાંડ મામલે કાર્યવાહી કરતાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને તત્કાલીન TDO દર્શન પટેલની ધરપકડ કરી છે.