-
ઓબીસી સમાજના નવા ચહેરાની ઓળખ ગણાતાં અલ્પેશ ઠાકોર બાદ બવે દલિતોના યુવા નેતા જીગ્નેશ મેવાણી પણ કોંગ્રેસમાં જોડાયા છે. નવસારી ખાતેના એક ફાર્મ હાઉસમાં રાહુલ ગાંધી અને મેવાણી તથા તેના ટેકેદારો સાથે બેઠક યોજાઇ હતી. સૂત્રો કહે છે કે આ બેઠક બાદ મેવાણી રાહુલની સાથે જાહેરમાં આવ્યો અને દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલી રાહુલની ચૂંટણી યાત્રામાં સોમેલ થયો હતો.નોંધનીય છે કે ઉના દલિત કાંડના પગલે મેવાણી દલિતોના યુવા નેતા તરીકે જાહેર જીવનમાં ઉભરી આવ્યાં હતા. તેમણે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર રચાય તો ઉના કાંડની પાછળ રહેલા ચોક્કસ રાજકીય પરિબળોની સામે ઉચ્ચ સ્તરિય તપાસની ખાતરી લીધી હોવાનું મનાય છે. આ ઉપરાંત થાનગઢ દલિત હત્યા કાંડનો રિપોર્ટ જાહેર કરવાની પણ ખાતરી લીધી હોવાનું રાજકીય પરિબળો માની રહ્યાં છે. રાજકીય રીતે મનાય છે કે ગુજરાતમાં રાહુલ ગાંધીએ ઓબીસી સમાજ બાદ દલિતોની સહાનુભૂતિ પણ મેળવી છે. આ અગાઉ પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે પણ પરોક્ષ રીતે રાહુલની તરફેણમાં પોતાના વિચારો જાહેર કરેલા જ છે.
-
ઓબીસી સમાજના નવા ચહેરાની ઓળખ ગણાતાં અલ્પેશ ઠાકોર બાદ બવે દલિતોના યુવા નેતા જીગ્નેશ મેવાણી પણ કોંગ્રેસમાં જોડાયા છે. નવસારી ખાતેના એક ફાર્મ હાઉસમાં રાહુલ ગાંધી અને મેવાણી તથા તેના ટેકેદારો સાથે બેઠક યોજાઇ હતી. સૂત્રો કહે છે કે આ બેઠક બાદ મેવાણી રાહુલની સાથે જાહેરમાં આવ્યો અને દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલી રાહુલની ચૂંટણી યાત્રામાં સોમેલ થયો હતો.નોંધનીય છે કે ઉના દલિત કાંડના પગલે મેવાણી દલિતોના યુવા નેતા તરીકે જાહેર જીવનમાં ઉભરી આવ્યાં હતા. તેમણે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર રચાય તો ઉના કાંડની પાછળ રહેલા ચોક્કસ રાજકીય પરિબળોની સામે ઉચ્ચ સ્તરિય તપાસની ખાતરી લીધી હોવાનું મનાય છે. આ ઉપરાંત થાનગઢ દલિત હત્યા કાંડનો રિપોર્ટ જાહેર કરવાની પણ ખાતરી લીધી હોવાનું રાજકીય પરિબળો માની રહ્યાં છે. રાજકીય રીતે મનાય છે કે ગુજરાતમાં રાહુલ ગાંધીએ ઓબીસી સમાજ બાદ દલિતોની સહાનુભૂતિ પણ મેળવી છે. આ અગાઉ પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે પણ પરોક્ષ રીતે રાહુલની તરફેણમાં પોતાના વિચારો જાહેર કરેલા જ છે.