દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે દિલ્હીમાં કોરોના વાઇરસની સ્થિતિ ગંભીર થાય અને પ્રતિદીન ૧૦૦ કેસ સામે આવે તેવી સ્થિતિનો સામનો કરવા દિલ્હી સજ્જ છે. હોસ્પિટલ, એમ્બ્યુલન્સ, વેન્ટિલેટર્સ, તબીબો અને નર્સનું આયોજન થઇ ચૂક્યું છે. કેજરીવાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ડો. એસ.કે.સરીનના નેતૃત્વ હેઠળ બનેલી પાંચ તબીબોની સમિતિએ આપેલા અહેવાલમાં દિલ્હીમાં પ્રતિદિન ૧૦૦, ૫૦૦ કે ૧૦૦૦ કેસ વધે એવી સ્થિતિને પણ કઇ રીતે પહોંચી વળવું તે માટેની સ્ટાન્ડર્ડ પ્રોસિજર સૂચવેલી છે.
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે દિલ્હીમાં કોરોના વાઇરસની સ્થિતિ ગંભીર થાય અને પ્રતિદીન ૧૦૦ કેસ સામે આવે તેવી સ્થિતિનો સામનો કરવા દિલ્હી સજ્જ છે. હોસ્પિટલ, એમ્બ્યુલન્સ, વેન્ટિલેટર્સ, તબીબો અને નર્સનું આયોજન થઇ ચૂક્યું છે. કેજરીવાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ડો. એસ.કે.સરીનના નેતૃત્વ હેઠળ બનેલી પાંચ તબીબોની સમિતિએ આપેલા અહેવાલમાં દિલ્હીમાં પ્રતિદિન ૧૦૦, ૫૦૦ કે ૧૦૦૦ કેસ વધે એવી સ્થિતિને પણ કઇ રીતે પહોંચી વળવું તે માટેની સ્ટાન્ડર્ડ પ્રોસિજર સૂચવેલી છે.