Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આખો દેશ શુક્રવાર એટલે કે 15 ઓગસ્ટ, 2025ના રોજ પોતાનો 79મો સ્વતંત્રતા દિવસ મનાવવાની તૈયારી કરી રહ્યો છે. ત્યારે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ગુરુવાર સાંજે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ રાષ્ટ્રને સંબોધન કર્યું. આ અવસરે રાષ્ટ્રપતિએ કહ્યું કે, પોતાના સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ આપણે આવી લોકશાહીના માર્ગે આગળ વધ્યાં. બધા પુખ્ત વયના લોકોને મતદાનનો અધિકાર આપવામાં આવ્યો. આપણે ભારતના ભાગ્યને અધિકાર સોંપવા માટે પોતાને સમર્પિત કરી દીધા. પડકારો છતાં ભારતના લોકોએ લોકશાહીને સફળતાપૂર્વક અપનાવી છે. ભારતને લોકશાહીની જનની કહેવું યોગ્ય છે. આપણા માટે લોકશાહી અને બંધારણ સર્વોપરિ છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ