કોંગ્રેસના મહા સચિવ દિગ્વિજય સિંહે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આક્રમક નિવેદન કર્યું છે. કોંગ્રેસના બોલકા નેતા દિગ્વિજય સિંહે દાવો કર્યો છે કે, વડાપ્રધાન મોદી ૨૦૧૯ની ચૂંટણીઓ જીતવા પાકિસ્તાન સાથે યુદ્ધ કરી શકે છે. રાજસ્થાનના જોધપુર શહેરમાં એક ખાનગી કાર્યક્રમમાં આવેલા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, ભાજપ સરકારે દેશમાં પાકિસ્તાન સાથે યુદ્ધ છેડવાનું હોય એવો માહોલ બનાવ્યો છે.