-
અયોધ્યામાં રામ મંદિર માટેની મોદી સરકાર પાસેથી વારંવાર ઉઘરાણીના મુદ્દે સંઘ પરિવારમાંથી દૂર કરાયેલા ગુજરાતના ડો. પ્રવીણ તોગડિયાએ છેવટે રાજકીય પક્ષની સ્થાપના કરીને પોતે લાકસભાની ચૂંટણી લડશે અને તે પણ અયોધ્યા બેઠક પરથી એવી જાહેરાત કરીને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સામે સીધી અને ભાજપ સામે પરોક્ષ ટક્કર લેવાનો પ્રયાસ કર્યો છે. તેમણે હિન્દુસ્તાન નિર્માણ દલ(એચએનડી) નામના નવા રાજકીય પક્ષની સ્થાપનાની આજે જાહેરાત કરી હતી. ગુજરાતમાં પણ તેઓ ભાજપની સામે પોતાના ઉમેદવારો ઉભા રાખે તેમ છે. અયોધ્યા રામ મંદિરનું એપી સેન્ટર છે ત્યારે તોગડિયાએ ત્યાંથી ચૂંટણી લડવાની કરેલી જાહેરાત એ ભાજપના ભારાડી મુખ્યમંત્રી યોગીની સામે ટક્કર લેવા સમાન છે એમ પણ સૂત્રોએ જણાવ્યું હતું. દેખીતી રીતે જ તોગડિયાના ચૂંટણી મુદ્દા રામ મંદિર અને ભાજપની વિરૂધ્ધના રહે તેમ છે. તોગડિયાને કેટલાક સાધુ સંતોનો ટેકો મળે તેમ છે.
-
અયોધ્યામાં રામ મંદિર માટેની મોદી સરકાર પાસેથી વારંવાર ઉઘરાણીના મુદ્દે સંઘ પરિવારમાંથી દૂર કરાયેલા ગુજરાતના ડો. પ્રવીણ તોગડિયાએ છેવટે રાજકીય પક્ષની સ્થાપના કરીને પોતે લાકસભાની ચૂંટણી લડશે અને તે પણ અયોધ્યા બેઠક પરથી એવી જાહેરાત કરીને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સામે સીધી અને ભાજપ સામે પરોક્ષ ટક્કર લેવાનો પ્રયાસ કર્યો છે. તેમણે હિન્દુસ્તાન નિર્માણ દલ(એચએનડી) નામના નવા રાજકીય પક્ષની સ્થાપનાની આજે જાહેરાત કરી હતી. ગુજરાતમાં પણ તેઓ ભાજપની સામે પોતાના ઉમેદવારો ઉભા રાખે તેમ છે. અયોધ્યા રામ મંદિરનું એપી સેન્ટર છે ત્યારે તોગડિયાએ ત્યાંથી ચૂંટણી લડવાની કરેલી જાહેરાત એ ભાજપના ભારાડી મુખ્યમંત્રી યોગીની સામે ટક્કર લેવા સમાન છે એમ પણ સૂત્રોએ જણાવ્યું હતું. દેખીતી રીતે જ તોગડિયાના ચૂંટણી મુદ્દા રામ મંદિર અને ભાજપની વિરૂધ્ધના રહે તેમ છે. તોગડિયાને કેટલાક સાધુ સંતોનો ટેકો મળે તેમ છે.